ઝારખંડમાં કોરોનાના નિયમોનું પાલન ન કરનાર અને માસ્ક ન પહેરવા બદલ રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કોઇએ માસ્ક નહી પહેર્યું હોય તો એક લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષ ની જેલની સજાનો નિર્ણય લીધો છે. ઝારખંડ કેબિનેટ દ્વારા બુધવારે સંક્રમિત રોગ વટહુકમ 2020 પાસ કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરનાર અને માસ્ક ન પહેરનાર લોકોને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે.
સંક્રમિત રોગ વટહુકમ 2020 પર કેબીનેટમાં લાગી મહોર
કોરોનાના નિયમનું પાલન ન કરવાથી થઇ શકે છે સજા
નવા નિયમને લઈને લોકોમાં જોવા મળ્યો રોષ
આ સાથે સાથે નવા નિયમ પ્રમાણે જો કોઈએ નિયમનું ઉલ્લંઘન કર્યું અથવા માસ્ક પહેર્યા વગર કોઈ બહાર નીકળ્યું તો તે વ્યક્તિએ 2 વર્ષ માટે જેલમાં પણ જવું પડી શકે છે. જોકે આજે નિયમ તોડનારને રોકવા માટે રસ્તા પર કોઈ ચેકિંગ કરવામાં આવ્યું નથી. ઝારખંડના પાટનગર રાંચીના રસ્તાઓ પર ઘણા લોકો માસ્ક વગર દેખાયાં હતા.
ઝારખંડમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓના આંકડા ખુબજ વધી રહ્યા છે, જેના લીધે સરકારી હોસ્પિટલોમાં જગ્યા રહી નથી. સરકારે નિર્ણય કર્યો છે કે, હવે પ્રાઈવેટ હોસ્પિટલોનમાં અને મોટા લોજમાં હવે અઈસોલેશન વોર્ડ બનાવવામાં આવે.જોકે, સરકારના આ નિર્ણયનો રાંચી સ્ટેશન રોડ પર રહેતા લોકો વિરોધ ક્રોઈ રહ્યા છે.
લોકોનું કહેવું છે કે, સરકાર કોરોના દર્દીઓ માટે અઈસોલેશન વોર્ડ રહેણાંક વિસ્તારમાં બનાવવામાં આવે છે. જેનાથી એમનું જીવન ખતરામાં છે. રાંચી સ્ટેશન રોડ પર રહતા 200 પરિવારોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, આઇસોલેશન વોર્ડને બીજી જગ્યાએ બનાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય મંત્રાલય તરફથી ગુરુવાર સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે ઝારખંડમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 6485 છે, જેમાં 64 લોકો મૃત્યું પામ્યા છે. અત્યાર સુધી 3024 દર્દીઓ સાજા થયા છે, જયારે 3397 એક્ટીવ કેસ છે. હમણાં કેટલાક દિવસોથી કોરોનથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થયો છે.