કોરોના સંકટ વચ્ચે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કહ્યું હતું કે, રાજ્યમાં ધાર્મિક સ્થળો આગામી 1 જૂનથી ખોલવામાં આવશે. પરંતુ કેટલીક અગત્યની બાબતનું પાલન કરવું પડશે, મમતા દીદીએ જણાવ્યું હતું કે, આગામી 1 જૂનથી સવારે 10 વાગ્યાથી ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લીધો નિર્ણય
રાજ્યમાં ધાર્મિક સ્થળ 1 જૂનથી ખોલી દેવામાં આવશે
મમતા બનેર્જીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોઇપણને ધાર્મિક સ્થળો પર એકઠાં થવાની મંજૂરી નથી. એક સમયે માત્ર 10 વ્યક્તિને જ જવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે જ તેમને એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ધાર્મિક સ્થળો પર સેનિટાઇઝેશનની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવશે. મને આશા છે કે, ભારત સરકાર પણ તેનો સ્વીકાર કરશે.
1 જૂનથી ધમધમતી થશે સરકારી અને પ્રાઇવેટ ઓફિસો
આ સાથે જ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, મમતા બનર્જીએ વધુ એક એલાન કર્યું હતું. મમતાએ કહ્યું કે, 8 જૂનથી રાજ્યમાં તમામ સરકાર અને પ્રાઇવેટ કર્મચારી પોતાના કામકાજ પર વાપશી કરશે. એટલું જ નહીં મમતા બેનર્જીએ એવી પણ જાહેરાત કરી હતી કે, પશ્ચિમ બંગાળમાં 1 જૂનથી તમામ કર્મચારીઓ સાથે જૂટ ઉદ્યોગ ખુલશે. આ ઉપરાંત મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના તમામ રાજ્ય ધોરીમાર્ગો અને જિલ્લા માર્ગો ફરીથી શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.
2 મહામારી સામે ઝઝૂમી રહ્યું છે પશ્ચિમ બંગાળ
મમતા બેનર્જીએ કોરોના સંકટ પર પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળ કોરોના અને તોફાન જેવી 2 મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યું છે. એવા સમયગાળામાં લોકોએ પોતાના લક્ષણ છૂપાવવા ન જોઇએ. મમતા બેનર્જીએ અપીલ કરી હતી કે, જે કોઇ વ્યક્તિને કોરોનાના લક્ષણ દેખાય તેમણે પોતાના ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.