રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,561 નવા કેસ નોંધાયા છે, તો 22 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા અને 4,869 લોકોએ કોરોનાને મ્હાત આપી આજે સાજા થયા.
ગુજરાતમાં સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
ગત 24 કલાકમાં કોરોનાના 1,561 નવા કેસ
22 લોકોના સંક્રમણના કારણે થયાં મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,561 નવા કેસ નોંધાયા છે, તો 22 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 4,869 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,71,860 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 472 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 29,015 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 1,70,94,620 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,70,94,620 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 1,96,763 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 256 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 172 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 80 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 172 કેસ, જ્યારે ગ્રામ્યમાં 80 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 86 કેસ અને ગ્રામ્યમાં 42 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....