ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના 84 નવા કેસ નોંધાયા તો 3 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 300 દર્દીઓ સાજા થયાં
ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો
રાજ્યમાં આજે 84 કોરોના કેસ નોંધાયા
રાજ્યમાં આજે 300 દર્દીઓ સાજા થયા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 84 નવા કેસ નોંધાયા છે, તો 3 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,062 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 300 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,10,751 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 11 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 2794 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 2,56,77,991 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 2,56,77,991 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,84,791 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 18 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 11 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 5 કેસ, જ્યારે ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 4 કેસ અને ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....