બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પહેલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી હિંમત કલાઠીયાનું મોત, 2 સંપર્ક વિહોણા
Last Updated: 10:53 PM, 22 April 2025
જમ્મુ કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં અધિકારીક રીતે 16 લોકોનાં મોતની પૃષ્ટી થઇ ચુકી છે. તો બીજી તરફ સુત્રો દ્વારા આપવામાં આવતી માહિતી અનુસાર કુલ 30 થી વધારે લોકોના મોતની આશંકા છે. આતંકવાદીઓએ ધર્મ પુછી પુછીને લોકોને ગોળીઓ મારી હતી. હાલમાં મોરારી બાપુની રામ કથા માનસ શ્રીનગર ચાલી રહી હોવાથી મોટા પ્રમાણમાં ગુજરાતીઓ પહેલગામ ખાતે રહે છે. આ ઉપરાંત અહીંથી મોટા પ્રમાણમાં સેવા મંડળો પણ ત્યાં ગયેલા છે.
ADVERTISEMENT
સુરતના નાગરિકનું આતંકવાદી હુમલામાં મોત
આતંકવાદી હુમલામાં 5 થી વધારે ગુજરાતીઓ ફસાયા હોવાની પ્રાથમિક માહિતી વચ્ચે કુલ 3 ગુજરાતીઓ ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલો હતો. જો કે હવે એક ગુજરાતીનું મોત નિપજ્યું હોવાની અધિકારીક પૃષ્ટિ થઇ ગઇ છે. સુરતના રહેવાસી હિંમતભાઇ કલાઠીયાનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. તેઓ મુળ સુરતના વરાછામાં આવેલા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હતા. જો કે થોડા સમયથી તેઓ મુંબઇ ખાતે રહેવા માટે ગયા હતા.
ADVERTISEMENT
ભાવનગરના પિતા-પુત્ર સંપર્કવિહોણા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના બે લોકો પણ સંપર્કવિહોણા થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. યતીનભાઇ પરમાર અને સ્મિત પરમાર નામના પિતાપુત્રનો કોઇ સંપર્ક લાંબા સમયથી થઇ શક્યો નથી. જેના કારણે તેના પરિવાર દ્વારા સ્થાનિક પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર પણ જાણ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.