મુંબઈના અંધેરી વિસ્તારમાં મિત્તલ એસ્ટેટમાં ગોડાઉનમાં આગ લાગતાં એક વ્યક્તિતનું મોત નિપજ્યું છે. મોડી રાતે આશરે 2 વાગ્યે ઇન્ડિયા વન નામની કંપનીમાં આગ લાગી હતી. ત્યારબાદ 4 ફાયર બ્રિગેડની ગાડીઓ અને 4 વોટર ટેંકર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મરનાર વ્યક્તિનું નામ પ્રદીપ વિશ્વકર્મા જાણવા મળી રહ્યું છે.
જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. મળતી માહિતી મુજબ બિલ્ડિંગમાં ચાલતી પ્રિન્ટિંગ પ્રેસમાં આ આગ લાગી હતી.
ઉલ્લેખનીય છે કે મુંબઇમાં આગની આ પહેલી ઘટના નથી. ડિસેમ્બર મહિનામાં પણ અહીંયા કમલા મિલ પરિસરમાં ભયંકર આગ લાગી હતી. જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘટના બાદ રેસ્ટોરાં માલિક પર અજાણતા હત્યાનો મામલો દાખલ કરવામાં આઅવ્યો હતો.