રાજકોટમાં દિવસે દિવસે રોગચાળાનો કહેર વધી રહ્યો છે. ત્યારે હવે શહેરમાં તાવના કારણે એક જ દિવસમાં બે બાળકોના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકોના મોત થયા છે. શહેરમાં છેલ્લા એક મહિનામાં 21 હજારથી વધુ તાવના કેસ નોંધાયા છે. છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 17 કેસ નોંધાયા છે.