સુરતમાં સિવિલ હોસ્પીટલમાં બાળકોના મૃત્યુને લઈને ચોંકાવનારો ખુલાસો, સિવિલ હોસ્પિટલમાં દર બે દિવસે થાય છે એક બાળકનું મોત
સુરત સિવિલમાં સૌથી મોટી લાલિયાવાડી
દર બે દિવસે એક બાળકના મૃત્યુનો રેશીયો
બે મહિનામાં 29 બાળકોના મોત
ગુજરાતમાં બાળમૃત્યુદરમાં મોટો ઘડાટાની વાતો કરવામાં આવે છે પણ વાસ્તવિક સ્થિતિ કઈક અલગ જ છે. અનેક યોજનો સરકારે ઘડી છે પણ જમીન પર જિલ્લા તંત્ર દ્વારા કેમ નથી ઉતરી એ પણ એક મોટો સવાલ છે. વાત છે સુરતની સિવલ હોસ્પિટલની. અહી બાળકોના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
સુરત સિવિલમા બાળકો રામ ભરોસે
સુરતમાં સિવિલ હોસ્પીટલમાં પીડિયાટ્રિક આઈસીયુમાં છેલ્લા 6 મહિનામાં 106 જેટલા બાળકોના મોત થયા છે. આ આંકડો ચિંતાજનક છે કારણ કે દર 2 દિવસે 1 બાળકો મોતને ભેટે છે.બાળ મૃત્યુઆંકની હકીકત સામે આવતા પીડિયાટ્રિક વિભાગ પર અનેક પ્રશ્નો ઊભા થયા છે.હોસ્પીટલમાં અપુરતા સાધનો તથા નિષ્ણાત તબીબોના અભાવે પણ આ પરીસ્થિતીનું નિર્માણ થયું હોવાની વાતો ચર્ચાઇ રહી છે. પીડિયાટ્રિક આઈસીયુમાં ગંભીર પ્રકારના બાળ દર્દીઓ દાખલ કરવામાં આવે છે. જેમની ઉમર 1 માસથી વધુ હોય છે. પણ દેખરેખના અભાવે છેલ્લા બે મહિતામાં 29 બાળકોએ જીવ ગુમાવ્યો છે.
સળગતા સવાલ
સુરત સિવિલ હોસ્પિટલમાં કેમ વધી રહ્યો છે બાળકોના મૃત્યુનો રેશીયો?
શું પીડિયાટ્રિક આઈસીયુમાં બાળકોની સારવારમાં નથી અપાતું ધ્યાન?
શું સિવિલના ડોક્ટરોને બાળકોની સારવારમાં રશ નથી?
6 મહિનામાં 106 બાળકોના મૃત્યું કેવી રીતે થઈ શકે?
શું બાળ દર્દીઓની યોગ્ય રીતે દેખરેખ નથી રખાતી?
વારંવાર સુરત સિવિલમાં સારવારને લઈને કેમ ઊઠે છે સવાલ?
કેમ સિવિલના ડોક્ટરો બાળ દર્દીઓને યોગ્ય સારવાર નથી આપતા?
યોગ્ય સારવાર મળે છે તો બાળ દર્દીઓના મૃત્યુનો રેશીયો કેમ વધે છે?
આમ તો સુરત સિવિલ તંત્ર દ્વારા સારી સરકારી સારવાર મળતી હોવાના દાવા કરવામાં આવે છે. પણ બાળ મૃત્યુઆંકની હકીકત સામે આવતા ખળભળાટ મચ્યો છે. પીડિયાટ્રિક વિભાગમાં બેદરકારીથી સારવાર થતી હોવાના આરોપ લાગી રહ્યા છે. આટ આટલા બાળકો મોત થવા છતાં પણ હજુ સુધી સિવિલ તંત્ર દ્વારા મગનું નામ મારી પાડવામાં આવ્યું નથી. કેમ દર 2 દિવસે 1 બાળકનું મોત થાય છે તે ખરેખર તપાસનો વિષય છે કારણ કે સિવિલના પીડિયાટ્રિક વિભાગમાં વર્લ્ડ ક્લાસ સુવિધા વાળા સાધનો છે. સારવાર માટે સ્ટાફ પણ છે તો શું અનુભવ વિનાના ડૉક્ટરને કારણે 6 મહિનામાં 106 બાળકોના મોત થયા છે. સારવાર લઈ રહેલા બાળકોના માતા-પિતાઓ યોગ્ય સારવાર ન મળતી હોવાના આક્ષેપ કરી રહયા છે. બાળમૃત્યુ દરમાં મોટા ઘડાટાની વાતો કરતાં આરોગ્ય તંત્રએ પણ સુરત સિવિલના પીડિયાટ્રિક વિભાગ થતી લાપરવાહીઓ પર કડક પગલા લેવા જરૂરી બને છે.