Team VTV04:36 PM, 16 Jan 21 | Updated: 04:39 PM, 16 Jan 21
દેશભરમાં આજે કોરોના રસીકરણના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, સૌથી પહેલા પીએમ મોદીએ આ મહાઅભિયાનની શરૂઆત કરાવી હતી, અને મોટા ભાગે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આની શરૂઆત થઇ ગઈ હતી જો કે આ બધાની વચ્ચે હરિયાણામાં એક વેક્સિનેશન કર્મીઓને સેન્ટર પરથી ભગાડવાની ઘટના સામે આવી છે.
ફોનની બેટરી ફૂલ થવી તે આપણા માટે મહત્વની ચીજ છે. કેટલીક વાર ખોટા ટાઇમ પર આપણા ફોનની બેટરી ડ્રેન થઇ જાય છે અને આપણુ ખુબ જરૂરી કામ રોકાઇ જાય છે. કોઇ કામથી આપણે બહાર જતાં હોઇએ અને બેટરી ન હોવાથી આપણુ કામ અટકી પડે છે. ત્યારે બેટરી બચાવવા માટે લોકો ઇન્ટરનેટ ઓફ કરી દેતા હોય છે પરંતુ કેટલીક ટ્રીક છે જે અપનાવવાથી તમારી બેટરીનું આયુષ્ય લાંબુ થઇ જાય છે.
ભારતમાં આજે મહામારી સામે મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને કોરોનાને દેશમાંથી નાબૂદ કરવા માટે લોકોને રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે ત્યારે કોરોનાની એક રસી પર ઘણા લોકોને આશંકા છે. જોકે સરકાર દ્વારા વારંવાર આ આશંકાને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
લસણ રસોઇમાં સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. લસણ ગુણમાં ગરમ, તીક્ષ્ણ, રસાયન, પાચક, પચવામાં ભારે, ભાંગેલાંં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે. લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ વગેરે મટાડે છે તો આજે આપણે લસણના કેટલાક ઉપાય જાણીએ.
Team VTV03:40 PM, 16 Jan 21 | Updated: 04:21 PM, 16 Jan 21
માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને દુનિયાના ચોથા નંબરના ધનવાન વ્યક્તિ બિલ ગેટસે અમેરિકામાં મોટા પાયે ખેતીની જમીન ખરીદી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ હવે બિલ ગેટ્સ અમેરિકામાં 18 રાજ્યોમાં કુલ 2 લાખ 42 હજાર એકડ ખેતીની જમીનના માલિક બની ગયા છે. આટલી વધારે જમીન ખરીદ્યા બાદ બિલ ગેટ્સ અમેરિકામાં ખેતીવાળી જમીનના સૌથી મોટા માલિક (ખાનગી ઓનર) થઇ ગયા છે.
આજે વિશ્વના સૌથી મોટા કોરોનાના રસીકરણની શરુઆત થઈ ગઈ છે. પરંતુ આ બાદ તમામના મનમાં એક જ સવાલ છે કે ભારત ક્યારે સંપૂર્ણ રીતે ઈમ્યૂન થઈ જશે. ક્યારે દેશમાં પહેલા જેવી સ્થિતિ બનશે આ સવાલોના જવાબ કેટલાક એક્સપર્ટએ ટીવી શોના માધ્યમ દ્વારા આપ્યા છે.
Team VTV03:19 PM, 16 Jan 21 | Updated: 03:33 PM, 16 Jan 21
તાજેતરમાં દેશમાં યોજાયેલા એક સર્વેમાં ભાજપને લોકપ્રિયતાની બાબતમાં મોટો ફટકો પડી રહ્યો હોય તેવી જણાઈ રહ્યું છે, દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓને લઈને આઈએએનએસ- સી વોટર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ભાજપના એક પણ મુખ્યમંત્રીનો સમાવેશ થયો નથી, કેન્દ્રમાં પૂર્ણ બહુમતી સાથે બીજી વાર સત્તારૂઢ બનેલી ભાજપ માટે નિશ્ચિત પણે આ બિલકુલ પણ સારા સમાચાર નથી.
Team VTV03:13 PM, 16 Jan 21 | Updated: 03:14 PM, 16 Jan 21
એક તરફ જ્યાં દેશમાં દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામનો પ્રારંભ થયો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ વેક્સિનેશન અભિયાન પર જ સવાલ ઉઠાવ્યાં છે.
Team VTV02:51 PM, 16 Jan 21 | Updated: 03:10 PM, 16 Jan 21
ભારતમાં આજથી દુનિયાની સૌથી મોટી વેક્સીનેશન ડ્રાઇવ શરુ થવા જઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કોરોના વેક્સીનેશન ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ કોરોના વેક્સીનેશન અભિયાનને લઇને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
દોડભાગ ભરેલી જિંદગીમાં પોઝિટિવ વાઈબ્સ ખૂબ જરૂરી હોય છે એવામાં જો તમારે જાણવું હોય કે સતત પોઝિટિવ વાઈબ્સ કેવી રીતે રાખી શકાય તો જુઓ Why ne kaho Bye with Ami Modi
કોરોના વાયરસને લઈને રોજના નવા નવા ખુલાસા થઈ રહ્યા છે . ત્યાર સુધી કોરોના વાયરસ માણસથી ફેલાતો હતો પરંતુ હવે ખાવાના સામાનમાં પણ કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. ચીનમાં એક ખાસ મામલો સામે આવ્યો છે. જ્યાં આઈસક્રીમ પણ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળી છે.
Team VTV02:22 PM, 16 Jan 21 | Updated: 02:25 PM, 16 Jan 21
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં રમાઈ રહી છે, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 369 રનનો સ્કોર નોંધાવ્યો હતો, આ સેશનમાં ભારત માટે ટી. નટરાજન, શાર્દૂલ ઠાકુર અને વોશિંગટન સુંદરે 3-3 વિકેટ લીધી હતી, અને ઓસ્ટ્રેલિયન કેપ્ટ્ન ટિમ પેઈને 50 રન ફટકાર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના રસીકરણ અભિયાનની શરુઆત કરતા આજે રાષ્ટ્રને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે દેશને લોકડાઉન માટે તૈયાર કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન તેમણે ચીનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હવે કોરોના સંક્રમણના કારણે દુનિયામાં લોકડાઉન લગાવાઈ રહ્યું હતું ત્યારે અનેક દેશોએ પોતાના નાગરિકોને તેના હાલ પર છોડી દીધા હતા. પરંતુ આપણે એવું નથી કર્યુ.
Team VTV01:37 PM, 16 Jan 21 | Updated: 01:59 PM, 16 Jan 21
2021નું વર્ષ બધા માટે સારુ રહે તેવી પ્રાર્થના દુનિયાના દરેક લોકોએ કરી હશે પરંતુ હાર્દિક પંડ્યા માટે શરૂઆત જ દુઃખદાયી રહી છે. આજે સવારે હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ ઍટેકના કારણે નિધન થયુ છે.
ભારતીય રેલવેએ ટ્રેનોમાં ઈ કેટરિંગ સેવાને ફરી ચાલુ કરી દીધી છે. જોરે આ સુવિધા કેટલાક પસંદગી પામેલા સ્ટેશનો પર જ શરુ કરવામાં આવશે. જે સ્ટેશનો પર ઈ કેટરિંગની સેવા આપવામાં આવશે. ત્યાં કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારોના સ્વાસ્થ્ય સંબંધી તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને જોતા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી ગાઈડલાઈન્સને જોતા ટ્રેનમાં જમવાનું બનાવવુ, એસી બોગીઓમાં કંબલ, તકિયા અને ચાદરની સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે ભારતીય રેલવેએ ટ્રેનોમાં ઈ કેટરિંગ સેવાઓને ફરી શરુ કરવાની પરવાનગી આપી છે.
Team VTV01:03 PM, 16 Jan 21 | Updated: 02:05 PM, 16 Jan 21
આજથી દેશવ્યાપી કોરોના વેક્સીનેશન કાર્યક્રમ શરુ થઇ ગયો છે અને દેશમાં કુલ 3,006 કેન્દ્રો ઉપર આરોગ્ય કર્મચારીઓ અને ફ્રંટલાઇન વર્કર્સને વેક્સીન લગાવાની શરુઆત કરવામાં આવી છે. આવામાં ગુજરાતમાં રાજકોટના એક મંદિરે કોરોનાથી બચવા માટે ગજબ આઈડ્યા અપનાવ્યો છે.
અમેરિકા સ્થિત ઇ-કોમર્સ કંપની એમેઝોને માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ને 24,713 કરોડ રૂપિયાના ફ્યુચર-રિલાયન્સ ગ્રુપના સોદાની તેની સમીક્ષા સ્થગિત કરવા વિનંતી કરી છે.
સલમાન ખાન બોલિવૂડના એવા સ્ટાર છે કે જેમનો સમગ્ર ઇન્ડસ્ટ્રી પર દબદબો છે. તેમની ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ વખતે શિકાર કરવા નીકળ્યા હતા અને કાળા હરણને મારવાનો મામલો સામે આવ્યો હતો. જે 1998થી 2021 સુધી ચાલી રહ્યો છે. જેમાં આ વખતે પણ તેમને જોધપુર કોર્ટમાંથી માફી મળી ગઇ છે.
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને એલાન કર્યુ છે કે કોરોના વાયરસના એક અજ્ઞાત સ્ટ્રેનનો ખતરાથી નાગરિકોની રક્ષા માટે સોમવારથી તમામ ટ્રાવેલ કોરિડોર પર બેન લગાવાવમાં આવ્યો છે. જોનસને કહ્યું કે અનેક વ્યક્તિઓ જે બીજા દેશથી બ્રિટન આવી રહ્યા છે. તેમને આવતા પહેલા પોઝિટીવ ન હોવાના પુરાવા બતાવવા પડશે. આ પહેલા બ્રાઝિલમાં ફેલાયેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ દક્ષિણ અમેરિકા અને પોર્ટુગલથી આવનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઇમાં લોકોને જેની છેલ્લા ઘણા સમયથી આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા તે કોરોનાની વેક્સિન દેશમાં આવી ગઇ છે. હાલ દેશમાં કોરોનાને લઇને વેક્સિનેશનન અભિયાનનો પ્રારંભ થઇ ગયો છે.
Team VTV12:25 PM, 16 Jan 21 | Updated: 12:26 PM, 16 Jan 21
માન્યતા છે કે ગુજરાતના આ મંદિર પર વરદાયિની દેવીની કૃપા બની રહી છે. આ મંદિરને ઘીથી ઘોવાની પરંપરા પણ ઘણી જૂની છે. આ મંદિર ગુજરાતના ગાંધીનગરમાં રૂપલ નામના ગામમાં આવેલું છે. તેને વરદાયિની દેવી મંદિરના નામે ઓળખાય છે. ભક્તો જ્યારે ઘીથી મંદિર ધોવે છે ત્યારે જાણે ઘીની નદી વહી રહ્યાનો એહેસાસ થાય છે.