Team VTV10:31 AM, 18 Jan 21 | Updated: 10:33 AM, 18 Jan 21
મુરાદાબાદમાં કોરોના વેક્સીન લગાવ્યા બાદ વોર્ડ બોયનું મોત થતાં હોસ્પિટલના સીએમઓએ કહ્યું છે કે મોતનું કારણ હાર્ટ એટેક છે. મુરાદાબાદ જિલ્લા હોસ્પિટલમાં તૈનાત 48 વર્ષના વોર્ડ બોય મહિપાલની કોરોના રસી લગાવ્યા બાદ તબિયત ખરાબ થઈ હતી. એ બાદ તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોંતો.’
પૌરાણિક કથા અનુસાર ગુજરાતના વડોદરામાં આવેલું ભગવાન શિવનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભક્તોમાં શિવ દર્શન માટે પ્રખ્યાત છે. આ મંદિર દર્શન આપીને સમુદ્રમાં ગાયબ થઈ જાય છે અને તેને ચમત્કાર નહીં પણ પ્રાકૃતિક ઘટનાનું પરિણામ માનવામાં આવે છે. જાણો શા કારણે અહીં ભગવાન ભક્તોને દર્શન આપીને ગાયબ થઈ જાય છે.
ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડમાં એક નવો ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે. ત્યારે શોમાં નટ્ટૂકાકાનો રોલ પ્લે કરનાર ઘનશ્યામ નાયકે ડિસેમ્બર 2020માં સેટ પર વાપસી કરી છે. ગળાની સર્જરીને કારણે તેઓ લાંબા સમયથી બ્રેક પર હતા. ત્યારે હવે તેઓ શૂટિંગ પર પરત ફર્યા છે અને ખુશ છે. હાલમાં જ તેમણે દયાબેન એટલે કે દિશા વાકાણીની વાપસીને લઈને ખુલીને વાત કરી હતી.
ગુગલીના માસ્ટર બીએસ ચંદ્રશેખરની તબિયત ખરાબ થઇ ગઇ છે અને તે બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર 75 વર્ષના ચંદ્રશેખરને સ્ટ્રોક આવ્યો હતો અને ડોક્ટર્સે કહ્યું કે, હવે તેમની હાલ સ્થિર છે અને તે સાજા પણ થઇ રહ્યાં છે.
Team VTV10:06 AM, 18 Jan 21 | Updated: 10:07 AM, 18 Jan 21
સૈફ અલી ખાન સ્ટારર વૅબ સિરીઝ તાંડવને લઇને ખળભળાટ મચી ગયો છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે સૈફને નિશાને લેતા કહ્યું કે તે એવી વૅબ સિરીઝનો હિસ્સો બન્યા છે જેમાં હિન્દુ ભાવનાઓને ઠેસ વાગી છે. આ વિવાદ હેઠળ સૈફ અને કરીના કપૂર ખાનના ઘરની બહાર પોલિસ સુરક્ષા આપવામાં આવી છે.
Team VTV09:53 AM, 18 Jan 21 | Updated: 10:02 AM, 18 Jan 21
લખનઉના ચારબાગ રેલવે સ્ટેશનની પાસે આજે સવારે એ સમયે હડકંપ જોવા મળ્યો જ્યારે શહીદ એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ખડી પડ્યાં. અફરાતફરીના માહોલ વચ્ચે રેલવે તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયુ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.
મોટાભાગે લોકો જાણકારીના અભાવે કનેક્શનથી મળતા ફાયદાથી અજાણ રહે છે. જો તમે LPG સિલિન્ડર જાતે ઘરે લાવો છો તો તમે ડિલિવરી ચાર્જના રૂપિયા બચાવી શકો છો. જો આવું ન થાય અને તમને રૂપિયા પરત ન મળે તો તમે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ પમ કરી શકો છો.
કોંગ્રેસની પાર્ટીનો કકળાટ ખતમ થવાનો નામ જ નથી લઈ રહ્યો પાર્ટીના 23 અસંતુષ્ટ નેતાઓના પત્ર પછી પણ કોંગ્રેસમાં મચેલી ઘમાસાણને રોકવાનો સોનિયા ગાંધીના પ્રયાસોની અસર પણ ખતમ થઈ રહ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે આ મામલાને એક વાર ફરી ઉઠાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર કપિલ સિબ્બલનું કહેવું છે કે સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓની સાથે ખુલીને વાતચીત કરી આંતરિક ચૂંટણી કરાવવાનો વાયદો કર્યો હતો. લગભગ એક મહિનો વિત્યા બાદ પણ તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે ચૂંટણી ક્યારે કરાવવામાં આવશે.
Team VTV09:34 AM, 18 Jan 21 | Updated: 09:44 AM, 18 Jan 21
મોર્નિંગ વોક નીકળેલી પત્નીને સુરતમાં એક કાર ચાલકે અડફટે લઈ ફરાર થઈ ગયો હતો, આ અકસ્માતના બનાવમાં પત્નીનું નીપજ્યું હતું મોત, મૃતકના પરિવારના સભ્યોને ગંભીર આક્ષેપ સામે આવ્યા છે, જેથી હવે આ અકસ્માત છે કે હત્યા બની ગયો છે તપાસનો વિશે.
શું તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવા ઈચ્છો છો અને તમે આઘાર કેન્દ્ર પર જવા ઈચ્છતા નથી કો તમારે માટે અમે 6 સ્ટેપની સરળ પ્રોસેસ લાવ્યા છીએ. આ પ્રોસેસની મદદથી તમે આધારને અપડેટ કરી શકો છો અને સાથે જ તમે તેમાં સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ, વગેરેને અપડેટ કરી શકો છો. તો જાણી લો પ્રોસેસ.
Team VTV09:09 AM, 18 Jan 21 | Updated: 09:24 AM, 18 Jan 21
કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતના ભણકારા જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ ચૂંટણીને લઇને એડીચોટીનું જોર લગાવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા મતદાતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરવા મહાજનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.
Team VTV08:59 AM, 18 Jan 21 | Updated: 09:01 AM, 18 Jan 21
નવા કૃષિ કાયદાને લઈને કોંગ્રેસ સહિત બીજી વિપક્ષી પાર્ટીઓ મોદી પર હુમલો કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે કૃષિ કાયદા પર આરટીઆઈ આવેદન રદ્દ થવા પર નીતિ આયોગ પર મન મુકીને નિશાનો સાધ્યો છે. ચિદમ્બરમે સરકારના આ પગલાને હેરાન કરનારુ ગણાવ્યું છે.
Team VTV08:46 AM, 18 Jan 21 | Updated: 08:47 AM, 18 Jan 21
સુપ્રીમ કોર્ટ અને યૂએસ કેપિટલ તથા સરકારી ઈમારતોની આસપાસ 7 ફીટનું બેરિયર તૈયાર કરાયું છે. એટલું જ નહીં ઈમારતોની આસપાસ નેશનલ ગાર્ડના લગભગ 2500 જવાનો જો બાયડનના શપથ ગ્રહણ સમારોહ પૂર્વે તૈયારી રૂપે તૈનાત કરી દેવાયા છે. યૂએસ કેપિટલ જાણે કે મિલિટ્રી ઝોનમાં ફેરવાઈ ચૂક્યું છે.
નેશનલ કોન્ફ્રેંસના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ રવિવારે એક સમારોહમાં લોકોને ખૂબ હસાવ્યા. તેઓએ કહ્યું કે કોરોનાની એવી સ્થિતિ સર્જાઈ છે કે તેઓ પોતાની પત્નીને કિસ પણ કરી શકતા નથી. આ સ્થિતિ પર હાજર લોકો ખૂબ હસ્યા હતા. ફારુક અબ્દુલ્લાનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Team VTV07:52 AM, 18 Jan 21 | Updated: 07:58 AM, 18 Jan 21
દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનની શરૂઆત થઈ છે ત્યારે કોરોનાની વેક્સિન લાગ્યા બાદ 447 લોકોમાં સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી છે અને સાથે જ 3 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે એમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
સોમવારનો શુભ અંક 9 છે અને શુભ રંગ આછો સફેદ પીળો અને ગુલાબી છે. આ સાથે આજે માનસિક શાંતિ માટે ચંદ્રની પૂજા કરવી. ભૂલથી પણ અન્નનો બગાડ કરવો નહીં. ઓમ રીં અન્નપૂર્ણાયૈ નમઃ મંત્રનો જાપ કરવો. આ સાથે દૂધ અને ચોખાનું દાન શુભ માનવામાં આવે છે. તો જાણો સોમવારનું રાશિફળ.
આજથી રાજધાની દિલ્હીમાં 304 દિવસ બાદ શાળાઓ શરૂ થવા જઈ રહી છે. એવામાં બાળકોએ નવા નિયમોની સાથે પ્રવેશ કરવાનો રહેશે. આ સાથે વિદ્યાર્થીઓને હાલમાં એકમેકની સાથે હાથ ન મિલાવવાની અને અન્ય કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની ખાસ સૂચના અપાઈ છે.
Team VTV06:40 AM, 18 Jan 21 | Updated: 09:15 AM, 18 Jan 21
સામાન્ય રીતે ગુજરાતમાં ફૂલકા રોટી, ભાખરી, પરાઠા, પૂરી અથવા તો રોટલા બને. જો એની એ રોટલી-ભાખરી ખાઈને કંટાળ્યા હોય તો આજે અમે તમારી માટે નોર્થ ઈન્ડિયન રોટીની રેસિપી લાવ્યા છીએ જે તમને પસંદ આવશે. તો આજે જ કરો ટ્રાય અને માણો મજા આ નોર્થ ઇન્ડિયન રોટીની.
Team VTV11:54 PM, 17 Jan 21 | Updated: 11:58 PM, 17 Jan 21
દર રવિવારે VTV ન્યૂઝ પર યે જીવન હૈ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર કાર્યક્રમ યોજવામાં આવે છે. અત્યાર સુધીના સફરમાં રીક્ષા ચાલકોની વેદના, સાજીંદાઓનો સંઘર્ષ, ફૂટપાથ પરની જિંદગી, આધુનિક સમયમાં શોખ બનીને રહી ગયેલા અશ્વો, અબોલા પશુઓની વેદનાને નજીકથી જાણનાર ભાવેશ સોલંકી, ઝીરો બજેટનુ જીમ, ગુજરાતના પોલીસ જવાનોની તાલીમ અને જુસ્સાની કહાની અને તમામની ભાવના અને લાગણીને આપના સુધી પહોંચાડી છે. ત્યારે આ વખતે એક એવી ટીમ અંગે જણાવીશું અને તેનું કામ જાણીને નવાઈ પામશો.
Team VTV10:59 PM, 17 Jan 21 | Updated: 11:02 PM, 17 Jan 21
'તાંડવ' વેબ સીરીઝના રિલીઝ બાદ જ તેને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. કેટલાક સંગઠન અને ભાજપના નેતા આને બેન કરવાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે સૂચના પ્રસારણ મંત્રાલય(I&B Ministry)એ 'તાંડવ' વેબ સીરીઝને લઇને એમેઝોન પાસે સ્પષ્ટતા માંગી છે.