Gujarat
Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે, પક્ષમાં જૂના કાર્યકરોની અવગણનાનો મુદ્દો આજે દિવસભર ચર્ચાતો રહ્યો અને રાજકિય ધમાસણ પણ જોવા મળ્યુ હતું. પ્રદેશ નેતૃત્વએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદારને સાંજ પળતા પળતા મનાવી લીધા છે પરંતુ હવે પુર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ પર આક્ષેપ કરી સવાલો કર્યા છે. તેમણે કહ્યુ ભરતી મેળો કરી તેમને સન્માન અપાય છે જ્યારે જૂના કાર્યકરોની અવગણના કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે. લોકસભા ચૂંટણીના મતદાન પહેલા ભાજપમાં છેલ્લા ત્રણ વર્ષથી ભરતી મેળો ચાલી રહ્યો છે પરંતુ મતદાન પહેલા જ આ ભરતીમેળાને કારણે ભાજપના જૂના કાર્યકરો નારાજ થયા છે. પક્ષમાં તેમનું માન સન્માન નહી જળવાતુ નથી. હવે મધુ શ્રીવાસ્તવે પણ ભાજપ સામે સવાલ ઉઠાવતા રાજકિય ભૂકંપ સર્જાયો છે. જો કે કેતન ઇનામદાર સી.આર.પાટીલ સાથેની બેઠક બાદ માની ગયા છે અને રાજીનામું પરત ખેંચી લીધુ છે.
હવે પુર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપમાં પાયાના કાર્યકરોને માન સન્માન અને યોગ્ય પદ મળતુ નથી. આયાતી ઉમેદવારોને માન સન્માન અપાતું હોવાનો પણ આક્ષેપ કરક્યો છે. મધુ શ્રીવાસ્તવએ કહ્યુ કે ભાજપમાં અન્ય પક્ષોના લોકોની ભરતી કરવામાં આવે છે અને એમને માન સન્માન આપે છે. ભાજપને જમીનથી ઉપર લાવનારા કાર્યકર્તાઓના ચપલ ઘસાઈ ગયા છે, એમના માટે કંઈ નહીં અને બીજા આવે તેમને સત્તા આપી દે છે. વધુમાં તેમણે ભાજપના સંગઠનના નેતાઓ ખોટું કરી રહ્યાં હોવાનો મધુ શ્રીવાસ્તવે આક્ષેપ લગાવ્યો છે. ભવિષ્યમાં આમને ખુબ મોટી તકલીફ પડવાની છે. એક સાથે પહાડ તૂટશે તો ભાજપને એક સાથે શુન્ય કરી નાખશે.
મધુ શ્રીવાસ્તવે કહ્યુ કે 'ભાજપ પાસે કોંગ્રેસ વાળા એને લે-લે કરે છે, બીજા પાર્ટીવાળાને માન સન્માન આપે છે અને ભારતીય જનતા પાર્ટીને જમીનથી લઇને છેક ઉપર સુધી લાવનારા કાર્યકર્તાઓના ચપ્પલ ઘસાઇ ગયા, એમના માટે કશું નહીં, બીજા આવે એને સત્તા આપી દે, આ એક ખોટું કરી રહ્યાં છે. ભાજપના જે પણ હોય, સંગઠનના હોય કે જે કોઇ પણ હોય, પરંતુ આજે નહીં ભવિષ્યમાં તેમને ખૂબ મોટી તકલીફ પડશે. એકસામટો જ્યારે પહાડ તૂટશે ને ત્યારે સીધું ભાજપને ઝીરો કરી દેશે અને કોંગ્રેસમાં આવી જશે.'
સી.આર.પાટીલ સાથે બેઠક પુર્ણ થયા બાદ બહાર આવેલા કેતન ઇનામદારે રાજીનામું પરત ખેચ્યુ હોવાનું કહ્યુ હતું. કેતન ઇનામદારે કહ્યુ કે પાર્ટીના કાર્યકર્તાઓના માન સન્માનની વાત હતી. જે બેઠકમાં રજુ કરી હતી. મને સંતોષ થાય એ રીતે મારી વાત સંગઠને સાંભળી છે. પાર્ટી તરફથી સંતોષકારક જવાબ મળ્યો છે. સી.આર.પાટીલ સાથે ચર્ચા કરી છે. પક્ષના નેતૃત્વએ મને સાંભળ્યો છે એટલે મારુ રાજીનામું હું પરત લઉ છું. હું પાર્ટીનો વફાદાર કાર્યકર છું એટલે પાર્ટીનો કોઇ નુકશાન થવા નહી દઉ. તેમણે કહ્યુ મારા મતવિસ્તામાં બાકી કામ ઝડપથી પુર્ણ થાય તે માટે બેઠકમાં રજુઆત કરી છે. 2027ની ચૂંટણી હું નથી લડવાનો તેમ પણ જણાવ્યુ હતું. નોધનીય છે કે, કેતન ઇનામદારે રાજીનામું આપ્યુ હતુ પરંતુ રાજીનામું સ્વીકારવામાં આવ્યુ ન હતું. ત્યાર બાદ ગાંધીનગરમાં પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક મળી જેમાં સંતોષકારક જવાબ મળી રહેતા કેતન ઇનામદારએ રાજીનામું પરત ખેંચી લીધુ છે. પાર્ટીના નાનામાં નાના કાર્યકરને સાંભળવામાં આવે તેવી રજૂઆત બેઠકમાં કરવામાં આવી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ગુજરાતીઓ સહિત દેશના ઘણો લોકો મોતનું જોખમ ખેડીને પણ અમેરિકામાં ગેરકાયદેસર રીતે જતાં હોય છે. લોકો અલગ અલગ રીતે અમેરિકામાં ઘુસતાં હોય છે આમાંનો એક મોટો રુટ ડેરિયન ગેપ છે જે 100 કિલોમીટરનો ગાઢ જંગલવાળો વિસ્તાર છે અને લોકો આ માર્ગે પણ અમેરિકામાં ઘુસતી હોય છે.
📣: Important Prelims Point (IPP)
— Nikhil K GOWDA (@NikhilKGOWDA5) March 18, 2024
🚨What is Darien Gap seen in news recently ?
To Know follow this 🧵 pic.twitter.com/rEjtNY0eJf
4 થી 10 દિવસમાં પાર કરે છે 100 કિલોમીટરનો જંગલવાળો વિસ્તાર
ઉત્તર કોલંબિયા અને દક્ષિણ પનામાની વચ્ચે આવેલું એક ખૂબ જ ગાઢ જંગલ છે. લગભગ સો કિલોમીટરમાં ફેલાયેલો આ વિસ્તાર રેઇનફોરેસ્ટ છે, એટલે કે અહીં ખૂબ વરસાદ પડે છે, તેમજ અંદર સૂર્યપ્રકાશ પણ જઇ શકતો નથી. આવી સ્થિતિમાં જંગલની અંદર જોખમી કળણભૂમિઓ પણ છે, તેમજ ઝેરી મચ્છરો અને અન્ય પ્રાણીઓ પણ છે નાની-નાની નદીઓ પણ છે, જેમાં અચાનક પૂરી આવી જાય છે આ છેડાની ઉત્તર બાજુએ યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકોમાં આવે છે દક્ષિણમાં વેનેઝુએલા છે. ગાઢ જંગલ હોવાથી અહીં કોંક્રીટનો રસ્તો નથી. પરંતુ તેમ છતાં લોકો તેને 4 થી 10 દિવસ સુધી પાર કરતા રહે છે. રસ્તામાં નદીઓ તેમજ ઉપર-નીચે પહાડો આવેલા છે. અહીં મોબાઈલ નેટવર્ક નથી.
⚠️Exclusive: The the truth about the Democrat led invasion from inside the Darien Gap - More illegal Biden voters coming to America for the free stuff you’re paying for! *But the ending is the most important! #Trump2024 #SaveAmerica #CloseTheBorder #ClimateChangeFraud
— Ben Bergquam - Real America’s Voice (RAV-TV) News (@BenBergquam) March 11, 2024
Law &… pic.twitter.com/nuz0Ia5i19
ડ્રગ્સથી લઈને હ્યુમન ટ્રાફિકિંગ
2021માં લગભગ 1.5 લાખ લોકો ડેરિયન ગેપ દ્વારા અમેરિકામાં ઘુસ્યાં હતા અને 2023માં તો આંકડો 5 લાખે પહોંચ્યો હતો. દક્ષિણથી ઉત્તર અમેરિકાનો આ માર્ગ ગુનાહિત જૂથોથી ભરેલો છે. તેમાં ડ્રગ્સથી લઈને હ્યુમન ટ્રાફિકિંગનો સમાવેશ થાય છે. તેમનું કામ બે રીતે થાય છે. આમાંના કેટલાક જૂથો અહીંથી યુ.એસ. માં સ્થળાંતર કરનારાઓને લાવવાનું વચન આપીને મોટી રકમ લે છે. સાથે જ કેટલાક જૂથો રસ્તામાં લોકોને લૂંટી લે છે. વાત અહીં જ પૂરી થતી નથી. ડેરિયન ગેપમાં લોકો યૌન શૌષણનો પણ ભોગ બને છે.
What is Darien Gap? Why are migrants taking this route to reach the US?
— Manmeet (@manmeetk1003) March 19, 2024
- Darien Gap is a dense jungle spanning northern Colombia and southern Panama, approximately 60 miles wide.
-Has a muddy, wet, and unstable terrain, making it challenging to traverse
- Despite the absence… pic.twitter.com/TrvR9wAqgy
કોણ પસંદ કરી રહ્યું છે
2023માં 5 લાખ 20 હજારથી વધુ લોકોએ તેને પાર કર્યો હતો જેમાં એકલા વેનેઝુએલાના 3.50 લાખ લોકો હતા અને બાકીના ચીન, અફઘાનિસ્તાન, નેપાળ અને ભારતના હતા. ગુજરાતીઓએ પણ આ માર્ગેથી એન્ટ્રી લીધી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
Porbandar Lok Sabha seat: લોકસભા ચૂંટણીના મતદાન પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસના ફટકો પડી રહ્યો છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો કોંગ્રેસના એક સમયના કદાવર નેતા કહેવાતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ પોરબંદરમાં કોંગ્રેસનો સફાયો થયો છે. મોટાભાગના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ પોરબંદર કોગ્રેસના મોટાભાગના હોદ્દેદારો અને કાર્યકરોએ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. આજે ગુજરાત પ્રદેશ યુવક કોગ્રસના મંત્રી સહિતના હોદદારોએ રાજીનામા આપ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા જ પોરબંદર બેઠક પર કોંગ્રેસને ફટકા પર ફટકા પડી રહ્યા છે. બીજી તરફ કદાવર નેતાઓ બીજેપીના કેસરિયા કરતા કોંગ્રેસને આ બેઠક જીતવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે તો ભાજપ માટે જીતનો રસ્તો સરળ બની રહ્યો છે.
લોકસભાની ચુંટણી પૂર્વે પોરબંદરના કોગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ પોરબંદર કોગ્રેસમાંથી રાજીનામાની હારમાળા જોવા મળી રહી છે. અગાઉ જીલ્લા અને શહેર કોગ્રસના હોદેદારો બાદ યુથ કોગ્રસના હોદેદારો પણ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. આજે પોરબંદર યુવક કોગ્રેસના અગ્રણિ અને ગુજરાત પ્રદેશ યુથ કોગ્રેસના મંત્રી સંદીપ ઓડદરા અને ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી અને પોરબંદર યુવક કોગ્રસના પ્રમુખ રાહુલ ચુડાસમા સહિત હોદેદારોએ પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખને રાજીનામા મોકલી આપ્યા હતા પોરબંદર યુથ કોંગ્રેસના આગેવાનોએ એવુ જણાવ્યુ હતુ કે કોગ્રેસની નીતિરીતિથી નારાજ થઇ અને રાજીનામા આપ્યા છે. હવે અર્જુન મોઢવાડિયાના સમર્થનમા ભાજપમા જોડાશે. પોરબંદર કોગ્રેસના મોટા ભાગના હોદ્દેદારોએ રાજીનામા આપી દેતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
પોરબંદર બેઠક પર બંને પક્ષોના ઉમેદવાર
લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ તો અહી મુખ્ય બે રાજકિય પક્ષ ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા પર પસંદગી ઉતારી છે. જ્યારે કૉંગ્રેસે લલિત વસોયાને રીપીટ કર્યા છે.
ભારતના ચુંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અંતર્ગત પોરબંદર લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં 7 મી મેના મતદાન યોજાશે. પોરબંદર લોકસભાની સાથે પોરબંદર વિધાનસભાની પેટા બેઠક માટે પણ મતદાન થવાનું હોય પોરબંદર લોકસભા વિસ્તારની 6 બેઠકના મતદારોએ સંસદ સભ્ય માટે માત્ર એક મત આપશે જ્યારે પોરબંદર વિધાનસભા બેઠક પર મતદારોએ સંસદ સભ્ય માટે એક અને ધારાસભ્ય માટે પણ એક એમ કુલ 2 મત આપવાના રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Navsari Lok Sabha seat: લોકસભા ચૂંટણી 2024માં નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ સામે કોંગ્રેસ હજુ ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસમાંથી સી.આર.પાટીલ સામે કોણ ચુંટણી જંગમાં ઉતરશે એને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલની દિકરી મુમતાઝ પટેલની નવસારી લોકસભા બેઠક ઉપર પસંદગી થાય એવી ચર્ચાઓ ઉઠતા જ નવસારી અને સુરત કોંગ્રેસના આગેવાનો ચિંતામાં મુકાયા છે અને બેઠકોનો દોર શરૂ થયો છે.
સ્થાનિક નેતાઓ દ્વારા મુમતાઝ પટેલ નવસારી લોકસભામાં ચુંટણી ન લડે એવા પ્રયાસો પણ શરૂ થયા છે. જોકે નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આડકતરી રીતે મુમતાઝ પટેલને નવસારીથી ચુંટણી જંગમાં ન ઉતરે એનો સંદેશ આપ્યો છે. મુમતાઝ પટેલ સામે ઉજ્જવળ ભવિષ્ય છે, અહીંથી ચુંટણી લડવુ તેમણે વિચારવાનું છે, કારણ આગળ પાર્ટી રાષ્ટ્રીય લેવલે તેમને જવાબદારી આપી શકે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિલ્હીના મોવડી મંડળને પણ સ્થાનિક સંગઠનના જ મજબૂત માણસને નવસારીથી ચુંટણી લડાવવા રજૂઆત કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણીમાં મુમતાઝ પટેલને નવસારી બેઠક પર ઉમેદવાર ન બનાવાય તેવું કોંગ્રેસ કાર્યકરો પણ ઇચ્છી રહ્યા છે પરંતુ પક્ષ સામે ખુલીને કોઇ બોલવા તૈયાર નથી અત્યારે તો કોંગ્રેસીઓ કહી રહ્યા છે કે અહીથી કોંગ્રેસ નેતૃત્વ મુમતાઝ પટેલને ઉતારશે તો ખભેથી ખભો મળાવીને સી. આર. પાટીલને હરાવવા મજબૂતીથી લડીશું. કોંગ્રેસમાં નવસારી બેઠકના દાવેદારોની લાંબી કતાર છે જેમાં જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ પણ લિસ્ટમા સામેલ છે. જો કે શૈલેષ પટેલે પાર્ટી જે આદેશ આપશે તેને માન્ય રાખવાની તૈયારી દર્શાવી છે અને પક્ષ જેને ટિકિટ આપશે તેને જીતાડવા માટે મહેનત કરીશું તેવું કહ્યુ છે.
બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આ બેઠક પરથી ચૂંટણી લડે છે. ખેતી અને ટેક્સટાઈલ આધારિત અર્થવ્યવસ્થા ધરાવતા નવસારીમાં પરપ્રાંતિય મતો નિર્ણાયક બનતાં રહ્યાં છે. નવસારી લોકસભા બેઠક વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી હતી. તે અગાઉ નવસારી જિલ્લો વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હતો. નવા સિમાંકન દરમિયાન 2009માં નવસારી બેઠક અલગ પડી હતી. નવી બેઠક બનતાં જ ભાજપના કદાવર નેતા સી.આર.પાટીલ છેલ્લી 3 ટર્મથી અહીથી જીતતા રહ્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ સી.આર. પાટીલે 6,77,287 મતોની જંગી લીડથી વિજય મેળવ્યો છે. સી.આર.પાટીલ પોતાનાં ક્ષેત્રમાં સક્રીય સાંસદ હોવા સાથે જમીની સ્તરે કાર્યકરો સાથે જોડાયેલા છે. મતદારો સાથે તેઓ સીધા જોડાયેલા રહે છે. વર્ષ 2014માં નવસારી લોકસભાની બેઠક પર સીટીંગ સાંસદ સી.આર.પાટીલએ કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા. જેમાં સી.આર. પાટીલને કુલ 8,20,831 મત મળ્યા હતા. જ્યારે મકસુદ મિર્ઝાને ફક્ત 2,62,715 મત મળ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સુરેન્દ્રનગરમાં ખનન માફીયાઓ ફરી બેફામ બન્યા છે. ત્યારે ખનન માફીયાઓએ વિખ્યાત તરણેતર મંદિરની બાજુમાં ખોદકામ શરૂ કર્યું છે. બ્લાસ્ટ અને ખોદકામથી શિવમંદિર અને ધર્મશાળા સહિતને નુકશાન થયું છે. ત્યારે બ્લાસ્ટનાં કારણે ઠેર ઠેર તીરાડો પડી છે. ત્યારે તરણેતરના મેળામાં જે વિવિધ હરીફાઈ થાય છે તે મેદાનમાં ખોદકામ શરૂ કર્યું છે. ત્યારે તરણેતર મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પણ ખોદકામ શરૂ કરાયું છે. તળાવની પાળને પણ નુકશાન થયું હતું.
ખોદકામ રોકવા મુખ્યમંત્રીને રજૂઆત કરી
આ સમગ્ર બાબતે ખનન માફીયાઓ બેચરભાઈ, અમરાભાઈ, દેવાભાઈ દ્વારા ખોદકામ શરૂ કરાયાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ખનન રોકવામાં નહી આવે તો બ્લાસ્ટથી મંદિરને વધુ નુકશાન થશે.
જાગૃત નાગરિકે પત્રમાં શું લખ્યું
આ બાબતે જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, તરણેતર ગામે જ્યાં લોકભાતીગળ મેળાનુ આાયોજન થાય છે. તે મેળામાં જે રમત-ગમત ઘોડારેસ તેમજ પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. તે મેદાનમાં તેમજ ત્યાં આવેલા તળાવમાં માથાભારે ઈસમો દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ચાલી રહી છે. જેના લીધે ખનન માટે જે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે. તેનાથી જે પૌરાણિક શિવ મંદિર તથા તેની બાજુમાં જે મંદિર તેમજ ધર્મશાળાઓ આવેલી છે.
તેમજ તળાવમાં ખનન બ્લાસ્ટિંગ થવાથી તળાવની પાળને પણ નુકશાન થયેલ છે. આ ભુમાફીયાઓથી ડરીને પંચાયત તંત્ર પણ આંખ આડા કાન કરી લીધા હોય તેવું લાગે છે. એવી આશા રાખું છું કે, જે આ ભુમાફીયાઓ દ્વારા ગામ તેમજ રાષ્ટ્રની સંપત્તિને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેને જલ્દી બંધ કરાવી તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
વધુ વાંચોઃ નારાજ કેતન ઈનામદારને મનાવવાના પ્રયાસ! CR પાટીલે કહ્યું 'એ તો પાર્ટી નક્કી કરશે કે...'
ખનીજ માફીયાઓના નામ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Gujarat politics: કેતન ઇનામદારે વ્યક્ત કરેલી નારાજગી બાદ ભાજપનું નેતૃત્વ રીત સરનું ફફડી ઉઠ્યુ છે. અચાનક સાવલીના ધારાસભ્ય પદેથી કેતન ઇનામદારએ રાજીનામું આપ્યુ છે એટલુ જ નહી ત્યારબાદ તેમણે આરોપ મુક્યો છે કે પક્ષમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે તેમનું માન સન્માન જળવાતું નથી. દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી આવતો. ઇનામદાર મીડિયા સામે ખુલીને બોલતા ભાજપમાં ભૂકંપની સ્થીતી સર્જાઇ છે. તાત્કાલીક પ્રદેશ ભાજપ અધ્યક્ષએ બેઠક બોલાવી છે. વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠક મળી હતી. જેમાં આ સંદર્ભે ચર્ચા થઇ હતી. એટલું જ નહી કેતન ઇનામદારને મનાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. કેતન ઇનામદારને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. જેને લઇને તેઓ ગાંધીનગર જવા રવાના થયા છે.
કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ તેઓ ખુલીને ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના કરાતી હોવાનો આરોપ મુક્યો છે. એટલુ જ નહી તેમણે કહ્યુ જુના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવે છે તેમનું આત્મ સન્માન જળવાતું નથી. કેતન ઇનામદારની નારાજગી બાદ નિવેદનની અસર ભાજપના કાર્યકર્તાઓ પર પડી શકે છે ત્યારે પ્રદેશ નેતૃત્વ દ્વારા તાબળતોબ કેતન ઇનામદારને મનાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસ સ્થાને બેઠક મળી હતી. જેમાં વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કેતન ઈનામદારની નારાજગી સંદર્ભે ચર્ચા થઇ હતી એટલુ જ નહી સુત્રોનું માનીએ તો ચૂંટણી સમયે આ નિવેદનની અસર ભાજપના કાર્યકરો પર થઇ શકે છે ત્યારે કેતન ઇનામદારને મનાવી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ રાજ્યમાં રાજકિય માહોલ ગરમાયો છે. ભાજપમાં ભૂકંપની સ્થીતી સર્જાઇ છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારે નારાજગી સામે આવતા હડકંપ મચ્યો છે. સાવલીના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવાના પ્રયાસ તેજ કરાયા છે. જિલ્લા પ્રભારી રાજેશ પાઠકે મુખ્યમંત્રી સાથે વાત કરાવી હતી. એટલુ જ નહી. CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સાથે વીડિયો કોલથી વાત કરાવવામાં આવી હતી.
ભાજપમાં ભરતી મેળાથી જૂના કાર્યકરો નારાજ હોવાનો આરોપ રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે કર્યો હતો. ત્યારે કેતનના રાજીનામાને લઇ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યુ છે. પાટીલે કેતન ઇનામદારના નિવેદનનો જવાબ આપતા કહ્યુ કે પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે. પક્ષમાં કોને લેવા એ પણ નક્કી કરાશે. કેતન ઈનામદારના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠકમાં વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થીત રહ્યા જેમાં કેતન ઈનામદારની નારાજગી સંદર્ભે ચર્ચા થઇ હતી.
સાવલી બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદાર ખુલીને પાર્ટી સામે બોલ્યા છે. તેમનું કહેવું છે કે હું બીજેપીનો વફાદાર અને જૂનો કાર્યકર છું અને રહીશ. પાર્ટીને જીતાડવા માટે હું હંમેશા મહેનત કરીશ. પરંતુ દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી હોતો. તેમણે બીજેપીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ મારા મતક્ષેત્રમાંથી હું લોકસભાના ઉમેદવારને સૌથી વધુ લીડ અપાવીશ. તે માટે હુ તત્પર છુ અને રાત દિવસ મહેનત કરીશ. આ રાજીનામું મારા અંતરઆત્માનો અવાજ છે. જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મે લોકોને માન સન્માન આપ્યું છે અને આપતો રહીશ. પરંતુ આપણા માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને વ્યાજબી લાગતી નથી. પાર્ટીમાં વિરોધીઓને મોટા કરવામાં આવી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે મીડિયાને જણાવ્યુ હતું કે પાર્ટીમાં કાર્યકર્તાઓનું માન સન્માન નથી જળવાતું, દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે રાજકારણમાં નથી આવતા, હું ભલે નિમિત બન્યો છું પરંતુ ભાજપમાં પ્રત્યેક કાર્યકર્તાઓનો આ અવાજ છે. વધુમાં તેમણે કહ્યુ હતુ કે હું પાર્ટીને બે હાથ જોડીને કહુ છુ કે પાર્ટી ભલે મોટી કરો પરંતુ જુના કાર્યકર્તાઓની અવગણના ના કરવી જોઇએ.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારે કહ્યુ કે ભાજપમાં જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કચાશ રહી ગઈ છે. મેં બધી જગ્યાએ રજૂઆત કરી છે. પરંતુ પાર્ટીને સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય તેવો ભ્રમ છે. મારા માટે માન સન્માન અને આત્મસન્માનથી મોટી કોઈ વસ્તુ નથી. આ અવાજ માત્ર કેતન ઈનામદારનો નથી.ભાજપના પ્રત્યેક કાર્યકરનો આ અવાજ છે, હુ તો માત્ર નિમિત બન્યો છુ પરંતુ સત્ય એ છે કે પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે જે ના થવી જોઇએ. હું આજે ભાજપનો કાર્યકર્તા છું. ધારાસભ્ય પદેથી આ રાજીનામુ મારા અંતરઆત્માનો અવાજ છે. માન સન્માનના ભોગે કોઈ વસ્તુ વ્યાજબી નથી.ભરતી મેળાથી માત્ર હું જ નહીં અનેક કાર્યકર્તા નારાજ છે. ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે.
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અંગે બાંયો ચઢાવી હતી
સી આર પાટીલે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો
વિસ્તારમાં ‘સરકાર’ નામથી પ્રખ્યાત
2010માં જિલ્લા પંચાયતની ધનતેજ સીટ પરથી અપક્ષ જીત્યા હતા
વિધાનસભામાં ભાજપે 2012માં ટીકીટ ના આપતા અપક્ષ ચૂંટણી લડ્યા
સાવલી બેઠક પરથી 2012માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા
ત્યાર બાદ 2017 અને 2022ની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને જીત્યા
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ગૂગલે તે વ્યક્તિની તસવીરને બાળ નગ્નતા માનીને તેનું એકાઉન્ટ અને ઈમેલ બ્લોક કરી દીધું હતું જેના કારણે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને બિઝનેસમાં પણ નુકસાન થયું હતું.
ગુગલ દ્વારા આ મામલો ઉકેલવામાં ન આવતા હવે તે વ્યક્તિએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે, જે બાદ હવે કોર્ટે ભારતમાં ગૂગલ ઓફિસ અને કેન્દ્ર સરકારના ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગને નોટિસ પાઠવી છે.
ગૂગલે એકાઉન્ટ બ્લોક કર્યું
નીલ શુક્લા નામના વ્યક્તિએ ગુગલ ડ્રાઇવ પર પોતાના બાળપણની તસવીર સેવ કરી હતી. તે તસવીરમાં તે માત્ર બે વર્ષનો હતો અને તેની દાદી તેને નવડાવી રહી હતી. ગૂગલે નીલ શુક્લાના તમામ ગુગલ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે કારણ કે તે તસવીરને તેની બાળ નગ્નતા નીતિનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
નીલ શુક્લાના વકીલ દીપેન દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું કે ટેક કંપનીએ તેની તસવીરને ચાઈલ્ડ પોર્ન ગણાવી હતી અને ગયા વર્ષે એપ્રિલમાં કંપનીની નીતિનું ઉલ્લંઘન કરવા બદલ તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું.
તેણે કહ્યું કે ઘણી વખત ફરિયાદ કરવા છતાં ગૂગલ કંપની તેની સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગઈ. ત્યારબાદ શુક્લાએ 12 માર્ચે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. એડવોકેટ દેસાઈએ કોર્ટને જણાવ્યું કે ગૂગલે તેમનું ઈમેલ એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. તેથી નીલ શુક્લા તેમના ઈમેલ ચેક કરી શકતા નથી જેના કારણે તેમને તેમના બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું છે.
અરજદાર નીલ શુક્લાએ જણાવ્યું હતું કે આ કેસમાં તેમણે નોડલ એજન્સી, ગુજરાત પોલીસ અને કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેમને કોર્ટમાં આવવાની ફરજ પડી હતી.
કોર્ટે ગૂગલ અને સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો
અરજદારે આ અંગે તાકીદની સુનાવણી માટે કોર્ટને વિનંતી પણ કરી હતી. કારણ કે તેને ગૂગલ તરફથી એક નોટિસ મળી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના એકાઉન્ટને લગતો ડેટા એક વર્ષ નિષ્ક્રિય કર્યા પછી એપ્રિલ મહિનામાં કાઢી નાખવામાં આવશે.
વધુ વાંચોઃ હવે ગરમીથી રાહત નહીં, છેક આસમાને જશે તાપમાનનો પારો, હવામાનને લઇ IMDએ આપી લેટેસ્ટ અપડેટ
આ પછી હાઈકોર્ટે ગુગલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને અરજદારના ઈમેલ એકાઉન્ટને બ્લોક કરવા માટે નોટિસ પાઠવી છે. ન્યાયાધીશ વૈભવી ડી નાણાવટીની કોર્ટે 15 માર્ચે ગૂગલ, કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી હતી અને 26 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Gujarat politics: સાવલી બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદાર ખુલીને પાર્ટી સામે બોલ્યા છે. તેમનું કહેવું છે કે હું બીજેપીનો વફાદાર અને જૂનો કાર્યકર છું અને રહીશ. પાર્ટીને જીતાડવા માટે હું હંમેશા મહેનત કરીશ. પરંતુ દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી હોતો. તેમણે બીજેપીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. ઘણીવાર ડાયરેક્ટ નિર્ણય લેવાઇ જાય છે. તેમણે કહ્યુ મારા મતક્ષેત્રમાંથી હું લોકસભાના ઉમેદવારને સૌથી વધુ લીડ અપાવીશ. તે માટે હુ તત્પર છુ અને રાત દિવસ મહેનત કરીશ. આ રાજીનામું મારા અંતરઆત્માનો અવાજ છે. જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મે લોકોને માન સન્માન આપ્યું છે અને આપતો રહીશ. પરંતુ આપણા માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને વ્યાજબી લાગતી નથી.
રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે મીડિયાને જણાવ્યુ હતું કે પાર્ટીમાં કાર્યકર્તાઓનું માન સન્માન નથી જળવાતું, દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે રાજકારણમાં નથી આવતા, હું ભલે નિમિત બન્યો છું પરંતુ ભાજપમાં પ્રત્યેક કાર્યકર્તાઓનો આ અવાજ છે. વધુમાં તેમણે કહ્યુ હતુ કે હું પાર્ટીને બે હાથ જોડીને કહુ છુ કે પાર્ટી ભલે મોટી કરો પરંતુ જુના કાર્યકર્તાઓની અવગણના ના કરવી જોઇએ.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારે કહ્યુ કે ભાજપમાં જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કચાશ રહી ગઈ છે. મેં બધી જગ્યાએ રજૂઆત કરી છે. પરંતુ પાર્ટીને સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય તેવો ભ્રમ છે. મારા માટે માન સન્માન અને આત્મસન્માનથી મોટી કોઈ વસ્તુ નથી. આ અવાજ માત્ર કેતન ઈનામદારનો નથી
ભાજપના પ્રત્યેક કાર્યકરનો આ અવાજ છે, હુ તો માત્ર નિમિત બન્યો છુ પરંતુ સત્ય એ છે કે પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે જે ના થવી જોઇએ. હું આજે ભાજપનો કાર્યકર્તા છું. ધારાસભ્ય પદેથી આ રાજીનામુ મારા અંતરઆત્માનો અવાજ છે. માન સન્માનના ભોગે કોઈ વસ્તુ વ્યાજબી નથી.
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અંગે બાંયો ચઢાવી હતી
સી આર પાટીલે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો
વિસ્તારમાં ‘સરકાર’ નામથી પ્રખ્યાત
2010માં જિલ્લા પંચાયતની ધનતેજ સીટ પરથી અપક્ષ જીત્યા હતા
વિધાનસભામાં ભાજપે 2012માં ટીકીટ ના આપતા અપક્ષ ચૂંટણી લડ્યા
સાવલી બેઠક પરથી 2012માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા
ત્યાર બાદ 2017 અને 2022ની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને જીત્યા
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Ahmedabad East Lok Sabha seat: ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની અમિત નાયકે તૈયારી બતાવી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી ચૂંટણી લડવાની રોહન ગુપ્તાએ ના પાડી છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયકે ભાજપના ઉમેદવાર સામે પૂરી તાકાતથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.
લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીને લઇ ભારે મથામણ કરવામાં આવી રહી છે. પરંતુ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસે રોહન ગુપ્તાને ટીકીટ આપી હતી પરંતુ તેમણે અહીથી ચૂંટણી લડવાનો નનૈયો ભણી દીધો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાતો જાય છે. કયાંક રાજીનામા તો કયાંક નિવેદબાજીઓ સામે આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. અત્રે જણાવીએ કે, રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે.
અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાના ઇનકાર પછી પક્ષ દ્વારા નવા ઉમેદવારની પસંદગી માટે મથામણ શરૂ કરવામાં આવી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયકે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી કોંગ્રેસનું હાઇકમાન્ડ મને મંજૂરી આપશે તો હું અમદાવાદ પૂર્વ બેઠક પર બીજેપી સામે પુરી તાકાતથી લડીશ. તેમણે આગળ લખ્યુ કે કોંગ્રેસનો એકએક કાર્યકર્તા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 2024ની ચૂંટણી દેશના ગરીબ, પીડિત, શોષિત, ખેડૂત અને યુવાનોના મુદ્દાઓ પર લડીશું.
લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં રાજકિય માહોલ ગરમાયો છે. કોંગ્રેસમાં એક પછી એક નવા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા જ ઘણા નેતા અને કાર્યકરોએ પક્ષ છોડી દીધો છે. આ વખતે કોંગ્રેસ જીતી શકે અને પક્ષના વફાદારોને ટિકિટ આપી ચુંટણી લડાવી રહી છે ત્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ત્યારે કોંગ્રેસ કોને ટિકિટ આપી મેદાનમાં ઉતારશે તેના પર સૌની નજર રહેલી છે. અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર સામે પૂરી તાકાતથી લડવા માટે પ્રવક્તા અમિત નાયક ટીકીટ માગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેમને ટિકિટ આપશે કે પછી કોઇ અન્ય ચહેરો આ બેઠક પર ઉતારશે તે જાણવા માટે મતદારો પણ ઉત્સુક છે.
રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાથી રાજીનામું આપ્યું છે. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ અચાનક જ રાજીનામું આપ્યું છે. જેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી રહી ચૂક્યા છે. નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો 2008માં નવા સીમાંકન પ્રમાણે આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. અને 2009માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી આ બેઠક પર ભાજપનો કબજો છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. તો મીની ઈન્ડિયા તરીકે પણ ખૂબ જાણીતી છે. કારણ કે અહીં સમગ્ર દેશમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ વખતે અમદાવાદ પૂર્વમાં ભાજપે હસમુખ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે તેમની સામે કોંગ્રેસે રોહત ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા હતા.પરંતુ તેમણે ઉમેદવારી પરત ખેંચી છે. હવે જોવું રહ્યું કે, કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
Ketan Inamdar: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કેતન રાજીનામું આપ્યો હોવાનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ વિધાનસભાના સચિવે કેતન ઇનામદારનું રાજીનામું ન મળ્યુ હોવાનું જણાવી રહ્યા છે. સાવલીના બીજેપીના ધારાસભ્ય કેતન ઇનામદારે અચાનક રાજીનામું આપી દેતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. તેઓએ ગઇકાલે રાત્રે રાજીનામું આપ્યો હોવાનો દાવો કર્યો છે. પરંતુ VTV NEWSએ રાજીનામા અંગે વિધાનસભા સચિવ સાથે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે કેતન ઈનામદારનું રાજીનામું ન મળ્યા હોવાનું વિધાનસભા સચિવે જણાવ્યું હતું. જ્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદનમાં કહ્યુ હું અત્યારે થરાદના પ્રવાસે છું. મને કેતન ઈનામદારનું રાજીનામું નથી મળ્યું.
વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે ગત રાત્રે 2:30 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ફેક્સથી રાજીનામું આપ્યું હોવાનું કહી રહ્યા છે. અચાનક તેમના રાજીનામાની જાણ સવારે કાર્યકરો તેમના સમર્થકોને થતા રાજકીય ગરમાવો પ્રસર્યો છે. કેતન ઇનામદારે રાજીનામામાં અંતરઆત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. કેતન ઇનામદાર ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. સાવલી વિધાનસભા પર મજબૂત પક્કડ કેતન ઈનામદાર ધરાવે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તેઓ પક્ષની નીતિથી નારાજ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે.
આ પહેલીવાર નથી કે તેઓએ રાજીનામુ આપ્યુ હોય, 2020 માં કેતન ઇનામદાર રાજીનામું આપી ચુક્યા છે જો કે બાદમાં તેમને મનાવી લેવાયા હતા. ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ સાવલી નગરપાલિકામાં અસર જોવા મળી હતી અને MGVCLએ સાવલી નગર પાલિકાનું ફરી વીજ કનેક્શન શરૂ કર્યું હતું. બીલ ન ભર્યું હોવા છતાં MGVCL દ્વારા વીજ કનેક્શન શરૂ કરવું પડ્યુ હતું. જો કે આ વખતે તેમણે રાજીનામું આપ્યુ છે ત્યારે પક્ષ દ્વારા તેમની મનાવી લેવામાં આવશે કે નહી તેના પર સૌની નજર છે.
ખેડૂતોના મુદ્દા તેઓ હંમેશા ઉઠાવતા રહ્યા છે. વડોદરાની બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે કેતન ઇનામદારે સંમેલન પણ યોજ્યુ હતું. અને બરોડા ડેરીના વહીવટદારો પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં સાવલી, ડેસર સહિત જિલ્લાના પશુપાલકોએ તેમની સાથે રહ્યા હતા. ત્યારે તેઓએ લલકાર કરતા કહ્યુ હતું કે 'કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે, વહીવટદારોની અનધડ નીતિને કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. બરોડા ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવો જ જોઈએ. પશુ પાલકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારા અવાજને કોઈ દબાઈ શકશે નહીં. હું મરતે દમ તક લડીશ.'
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો