સુરેદ્રનગરના વઢવાણમાં એક યુવાને ઝેરી દવા પી લેતાં ચકચાર મચી જવા પામી છે.હાલ આ યુવક સારવાર હેઠળ છે. જોકે પોલીસ કોન્સ્ટેબલે માર માર્યો હોવાનો યુવાનનો આક્ષેપ છે. અને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી હોવાનો પણ આક્ષેપ છે. સમગ્ર બનાવને પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ઠેર-ઠેર દવા પીને આપઘાત કરવાના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે આ યુવાને ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક અસરથી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવાને પોલીસ કોન્સ્ટેબલે આપેલ ધમકીને કારણે દવા પી લીધી હોવાનું જણાવતા સત્ય શું છે તે તપાસનો વિષય બન્યું છે.આખી ઘટનાની ચોક્કસ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.