અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વર્ષો બાદ ભગવાન રામની વાપસી થવા જઈ રહી છે. અયોધ્યા વાસીઓ માટે આ દિવાળી ખાસ બની રહેશે. આયોધ્યામાં યોગી સરકાર દ્વારા નાની દિવાળી પ્રસંગે અયોધ્યામાં મોટા પાયે કાર્યક્રમોનું આયોજન થયું છે.
આ આયોજનમાં ખુદ યોગી આદિત્યનાથ હાજર રહ્યા છે. યોગી હેલિકોપ્ટરથી અયોધ્યા પહોંચ્યા હતા. સરયૂ નદીના કિનારે રામકથા પાર્ક ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યા પહોંચેલા યોગીએ અહીં રામ સીતા અને લક્ષ્મણની પૂજા કરી હતી.
તેમણે ભગવાનની આરતી અને પૂજા અર્ચના કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ રામ નાઇક રીટા બહુગુણા જોશી સહિતના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા છે.