દરેક વ્યક્તિ પોતાની જીંદગીમાં દરેક મંદિરોમાં દર્શન કરવા ઇચ્છતી હોય છે પરંતુ મોટાભાગના લોકોની આ ઇચ્છા પૂરી થતી નથી. તો ભારતમાં એક એવું પણ મંદિર છે જ્યાં કોઇ જવા માંગતું નથી પરંતુ ત્યાં જવું પડે છે. આ મંદિર છે હિમાતલ પ્રદેશના ચમ્બા જિલ્લામાં સ્થિર ભરમૌર નામના સ્થાન પર જ્યાં લોકો બહારથી પ્રણામ કરીને જતું રહે છે.
માનવામાં આવે છે કે મર્યા બાદ સૌથી પહેલા આત્મા અહીંયા પર જ આવે છે. પછી મરનાર વ્યક્તિ ભલે આસ્તિમ હોય કે નાસ્તિક એને આ મંદિરમાં આવું જ પડે છે અને આ મંદિર છે ધર્મેશ્વર મહાદેવજીનું. દુનિયામાં ઘર્મરાજ એટલે કે યમરાજનું આ એક જ મંદિર છે.
જોવામાં આ મંદિર આમ તો સામાન્ય ઘરોની જેમ જ છે. આ મંદિરમાં એક ખાલી રૂમ છે જેને ચિત્રગુપ્તનો રૂમ માનવામાં આવે છે. ચિત્રગુપ્ત યમરાજના સચિવ છે જે જીવાત્માના કર્મોના હિસાબ રાખે છે. માન્યતા છે કે જ્યારે કોઇ પ્રાણીનું મૃત્યુ થાય છે ત્યારે યમરાજના દૂત એ વ્યક્તિની આત્માને પકડીને સૌથી પહેલા આ મંદિરમાં ચિત્રગુપ્તની સામે પ્રસ્તુત કરે છે.
ચિત્રગુપ્ત જીવાત્માને એમના કર્મોની પૂરી માહિતી આપે છે ત્યારબાદ ચિત્રગુપ્તની સામેના રૂમમાં આત્માને લાવવામાં આવે છે. આ રૂમને યમરાજની કચેરી કહેવામાં આવે છે.
કહેવાય છે કે અહીંયા યમરાજ કર્મો અનુસાર આત્માને પોતાનો ચુકાદો આપે છે. એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં ચાર અદ્રશ્ય દરવાજા છે. જે સ્વર્ણ રજતચ તાંબા અને લોખંડના બનેલા છે. યમરાજનો નિર્ણય આવ્યા બાદ યમદૂત આત્માને કર્મો અનુસાર આ દ્વારોથી સ્વર્ગ અથવા નર્કમાં લઇ જાય છે.