કચ્છના રાજાશાહી વખતથી નવરાત્રીના પાંચમા નોરતે ચામર પૂજા કરવામાં આવી રહી છે તે પરંપરા આજે પણ રાજવી પરિવાર દ્વારા આજે પણ જળવાયેલી છે.
વિક્રમ સવંત 1605 થી કચ્છના રાવશ્રી ખેંગારજીના સમયથી કચ્છ રાજ્ય હતું તે વખતની રાજાશાહી વખતે નવરાત્રીની પાંચમે કચ્છના રાજાનું મુખ્ય એવા ભુજના દરબારગઢના પ્રાગમહેલમાં સવારે ચામર પૂજા રાજા કરતા હતા આ પૂજામાં કચ્છ રાજ્યના ભાયાતો જાગીરના વારસદારો ઠાકોર વગેરે હાજર રહેતા અને પૂજા કરાતી તે પરંપરા કચ્છના રાજવી પરિવારના પ્રાગમલજી ત્રીજાની નાદુરસ્ત તબીયત ને કારણે તેમના આદેશ થી ક્ચ્છના તેરા જાગીર ના ઠાકોર સાહેબ મયૂર્ધ્વજસિંહ જાડેજાએ પરમપરા પ્રમાણે ચામર પૂજા વિધિ કરી.અને નવરાત્રી પર્વ ઉજવતા કચ્છ ના લોકોને શુભકામના પાઠવી. ચામર ને ભુજથી માતાના મઢ આશાપુરા માતાજીના મંદિર લઈ જવા માટે પ્રસ્થાન કરાવ્યું.
ચામર એટલે મોરના ખરેલા પિછામાંથી બનાવામાં આવે છે.આ મોરપીંછા થી બનાવામાં આવતી ચામર અતિપવિત્ર તથા ધાર્મિક મહત્વ ધરાવે છે. તે પાંચમના ભુજથી તેની પૂજા કર્યા બાદ તેને પહેલા રથ મારફતે માતાના મઢ પહોંચાડવામાં આવતું .હવે વાહનની સુવિધા થતા તેને ધીમે ધીમે માતાના મઢ સાતમના પહોંચાડવામાં આવે છે.અને આઠમના રાજવી પરિવાર દ્વારા મા આશાપુરા માતાજીના મંદિરે પૂજા કરવામાં આવે છે.કચ્છની આ પરંપરા રાજાશાહી વખતથી જુદી તરી આવે છે. કચ્છના જાડેજા વંશના રાજવીઓ આશાપુરા માતાજીને સર્વશ્રેષ્ઠ માનતા આવ્યા છે.માતાજીના સેવક તરીકેનો ભાવ જળવાઈ રહે તે માટે ચામર વિધિ છે.
નવરાત્રી દરમ્યાન થતી ચામર પૂજાથી કચ્છના દરેક લોકો ગર્વ લઈ રહ્યા છે .આ પરંપરા હમેશા જળવાઈ રહે તે માટે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.નવરાત્રી દરમ્યાન આ ચામર વિધિ કચ્છની અલગ ઓળખ ધરાવે છે.