જુનાગઢઃ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ માટે સૌથી મહત્વની ગણાતી જૂનાગઢ ગિરનાર રોપવે યોજનાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ જૂનાગઢની જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પરિયોજના ગણાય છે.
આશરે 25 વર્ષ થી શરુ થયેલી ગિરનાર રોપવે યોજના માં અનેક વાદ વિવાદો અને વાંધાવચકાનો અંત આવી ગયો છે. અને સરકાર દ્વારા તમામ પ્રકારની મંજૂરીઓ પણ આપી દેવામાં આવી છે. પરિણામે રોપવેની કામગીરી શરુ થઇ ગઈ છે.
કારણ કે ચૂંટણી દરમિયાન પ્રચાર અર્થે જૂનાગઢ આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે જૂનાગઢના આઝાદીદિન 9 નવેમ્બર 2018ના દિવસે પોતે ઉદ્ઘાટન કરવા આવશે એટલે કંપનીએ પણ યુદ્ધના ધોરણે કામ શુરુ કર્યું છે.
મહત્વકાંશી રોપવે પ્રોજેક્ટ અંગે ખાસ રિપોર્ટ
જો ગિરનાર રોપવે પ્રોજેક્ટ અંગે વાત કરવામાં આવે તો આ રોપ-વે દ્વારા 1 કલાકમાં 800 જેટલા શ્રદ્ધાળુઓ ગિરનાર ની ટોચ ઉપર બિરાજતા માતા અંબાજીના મંદિરે પહોચશે. 2.300 કિ.મી. લંબાઇ ધરાવતો આ રોપવે પ્રોજેક્ટ દેશનો સૌથી મોટો રોપવે હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગિરનાર નો પહાડ ઉપર સીધું ચાંદાં હોવાથી 12 ટાવર જેટલા મોટા ટાવરો ઉપર રોપ ફરશે એને એક રોપ ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકે તેવી 30 જેટલી ટ્રોલી લગાવામાં આવનાર છે.
એક ટ્રોલીને પહોંચતા 8 મિનીટ જેટલો સમય લાગશે ઉપર પહોંચતા થશે. જમીન થી 800 મિટરની જેટલી ઉંચાઇ સુધી લોકો જઇ શકશે. દર 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે અને એક ટ્રોલી આવશે. આ રોપ-વે નું કામ જાણીતી રોપવે કંપની ઉષા બ્રેકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પરિયોજનાની કુલ લાગત 110 કરોડની છે. અત્યારે રોપવેની કામગીરીમાં કુલ 650 લોકો કામે લાગ્યા છે. વૃક્ષ કટીંગની કામગીરી ચાલી રહી છે. પરંતુ ઉષા બ્રેકો કંપનીના અધિકારી દિનેશ સિંહ નેગીનું કહેવું છે કે રોપવે તૈયાર થવામાં અંદાજે દોઢ વર્ષ જેટલો સમય લાગે તેમ છે.