મધ્યપ્રદેશના અશોકનગરમાં ટ્રેનમાં સફર કરી રહેલી એક મહિલાને ગાઢ નિંદ્રામાં રહેવું પડ્યું ભારે. હકીકતમાં મહિલાએ ઊંઘમાં ટોયલેટની જગ્યાએ ટ્રેનનો મેન ગેટ ખોલી નાંખ્યો હતો જેના કારણે ચાલતી ટ્રેનમાાથી નીચે પડી. જો કે સમયાનુસાર મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પરંતુ બાદમાં એનું મોત થઇ ગયું.
મળતી જાણકારી અનુસાર ગુનાના રહેવાસી રાજેન્દ્ર શર્મા પોતાની પત્ની રાજકુમારી સાથે જોધપુરથી ભોપાલ જઇ રહ્યા હતા. ત્યારે મુંહાવલી હિનોતિયાની વચ્ચે સાડા 10 વાગ્યે રાજકુમારી ચાલતી ટ્રેનથી નીચે પડી ગઇ.
મહિલાએ ટ્રેનનો મુખ્ય ગેટને ટોયલેટ દરવાજો સમજીને ખોલી નાંખ્યો અને આગળ પગ મૂક્યા. ટ્રેનની ઝડપ વધારે હોવાને કારણે પડી ગઇ.
પતિએ ટચેન પુલિંગ કરીને ટ્રેન રોકી અને ડ્રાઇવરને વાત જણાવી. ત્યારે ડ્રાઇવરે ડીઆરએમ સાથે વાત કરીને ટ્રેનને 1 કિમી પાછળ લીધી અને રાજકુમારીને લઇને અશોકનગર પહોંચાડ્યા. અહીંયા સારવાર દરમિયાન એનું મોત થઇ ગયું.