તમે આ વાત સાંભળીને હેરાન થઇ જશો કે ભારતમાં નહીં પરંતુ દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાની નોટ પર ગણેશજીનો ફોટો છાપવામાં આવે છે. તમને જણાવી દઇએ કે ઇન્ડોનેશિયામાં આશરે 87.5 ટકા આબાદી ઇસ્લામ ધર્મને માને છે. ત્યાં માત્ર 3 ટકા હિંદુ આબાદી છે. ચલો તો જાણીએ શા માટે ત્યાંની નોટો પર ગણેશજીનો ફોટો છાપવામાં આવે છે.
ઇન્ડોનેશિયાની કરન્સીને રૂપિયાહ કહેવામાં આવે છે. ત્યાં 20 હજારની નોટ પર ભગવાન ગણેશનો ફોટો છે. હકીકતમાં ભગવાન ગણેશને ઇન્ડોનેશિયામાં શિક્ષા કળા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે.
ઇન્ડોનેશિયામાં 20 હજારની નોટ પર સામે ભગવાન ગણેશનો ફોટો છે અને પાછળ ક્લાસરૂમનો ફોટો છે. જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ છે. સાથે નોટો પર ઇન્ડોનેશિયાના પહેલા શિક્ષામંત્રીની હજર દેવાંત્રાનો પણ ફોટો છે. દેવાંત્રા ઇન્ડોનેશિયાની આઝાદીના નાયક રહ્યા છે.
એક કારણ એ પણ છે કે થોડાક વર્ષ પહેલા ઇન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ થઇ ગઇ હતી. ત્યાનાં આર્થિક ચિંતકોએ વિચારણા કરીને વીસ હજારની નવી નોટ બહાર પાડી હતી જેની ઉપર ભગવાન ગણેશજીના ફોટાને છાપવામાં આવ્યો. લોકોનું માનવું છે કે આ કારણે હવે અહીંના લોકોની અર્થવ્યવસ્થા મજબૂત છે.