ભારતીય ધર્મ અને પુરાણોમાં દરેક ચીજનો અર્થ જણાવવામાં આવ્યો છે કોઇ કારણ વગર અહીંયા કોઇ ચીજ થતી નથી એવી જ એક ચીજ છે 'રક્ષા સૂત્ર' જેને કલેવા અથવા મૌલીના નામથી ઓળખવામાં આવે છે. મોટાભાગે પૂજા બાદ પંડિત જી અલગ અલગ મંત્રો બોલીને લોકોના કાંડા પર આ બાંધે છે. સામાન્ય રીતે આ મહિલાઓના ડાબા કાંડા પર અને પુરુષોના જમણા કાંડા પર બાંધવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કેમ અને શા માટે બાંધવામાં આવે છે. શું આ નાનો દોરો તમારી રક્ષા કરી શકે છે? મોટાભાગે આ દોરાને ખૂબ જ વિશ્વાસો સાથે કાંડા પર બાંધવામાં આવે છે જેના કારણે એ અમૂલ્ય શક્તિનો પર્યાય બની જાય છે.
માનવામાં આવે છે કે યજ્ઞમાં જો યજ્ઞસૂત્ર બાંધવામાં આવતો હતો એને આગળ જઇને રક્ષાસૂત્ર કહેવામાં આવ્યો. કેટલીક પૌરાણક કથાઓમાં એનો ઉલ્લેખ છે જે અનુસાર ભગવાન વિષ્ણુના વામનાવતારે પણ રાજા બલિના રક્ષાસૂત્રને બાંધ્યો હતો અને ત્યારબાદ જ એમને પાતાળ જવાનો આદેશ આપ્યો હતો.
આજે પણ રક્ષાસૂત્ર બાંધતી વખતે એક મંત્ર બોલવામાં આવે છે એમાં એ ઘટનાનો ઉલ્લેખ હોય છે. ભારતમાં દરેક પૂજ્ય અને આદરણીય લોકોને રક્ષાસૂત્ર બાંધનામી પરંપરા રહી છે. વૃક્ષોની રક્ષા માટે વૃક્ષોનું રક્ષાસૂત્ર અને પરિવારની રક્ષા માટે મા ને રક્ષાસૂત્ર બાંધવાના ઉદાહરણ પણ ઇતિહાસમાં મળે છે.
મંત્ર:
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:।
तेन त्वामनुबध्नामि रक्षे मा चल मा चल।।
આ મંત્રનો સામાન્ય રીતે એવો અર્થ થાય છે કે દાનવોના મહાબલી રાજા બલિ જેને બાંધવામાં આવ્યા હતા એનાથી તમને બાંધુ છું.
ધર્મશાસ્ત્રના વિદ્ધાનો અનુસાર એનો અર્થ એ છે કે રક્ષાસૂત્ર બાંધતી વખતે બ્રાહ્મણ અથવા પુરોહિત પોતાના યજમાનને કહે છે કે રક્ષાસૂત્રથી દાનવોના મહાપરાક્રમી રાજા બલિ ધર્મના બંધનમાં બાંધવામાં આવ્યા હતા અથવા ધર્મમાં પ્રયુક્ત કરવામાં આવ્યા હતા એ સૂત્રથી હું તને બાંધુ છું એટલે કે ધર્મ માટે પ્રતિબદ્ધ કરું છું. આ પ્રકાર રક્ષાસૂત્રનો ઉદ્દેશ બ્રાહ્મણો દ્વારા પોતાના યજમાનોને ધર્મ માટે પ્રેરિત અને પ્રયુક્ત કરવું છે.