ગણેશ ચતુર્થી હિંદુઓનો એક મહત્વનો તહેવાર છે. હિંદુ ધર્મમાં કોઇ પણ શુભ કાર્ય કરતાં પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો બધા દેવોમાં ભગવાન ગણેશને સૌથી પહેલા કેમ પૂજવામાં આવે છે. ચલો આજે અમે તમને જણાવીએ કે દરેક દેવોમાં ગણેશજીને પહેલાથી શા માટે પૂજવામાં આવે છે.
એવી માન્યતા છે કે કોઇ પણ શુભ કાર્યને શરૂ કરતા સમયેભગવાન ગણેશ કરવાથી એ કામમાં કોઇ પણ પ્રકારની અડચણ આવતી નથી. એમાં આવતી અટકળો દૂર થઇ જાય છે.
ગણેશ જી ની સૌથી પહેલા પૂજા કરવાની કથા શિવપુરાણમાં જણાવવામાં આવી છે. એક વખત બધા દેવતાઓમાં કોણ સર્વશ્રેષ્ઠ એ વાતને લઇને વિવાદ સર્જાયો હતો. ત્યારે આ બધા દેવતા સમસ્યા લઇને ભગવાન શિવ પાસે પહોંચી ગયા. ત્યારે ભગવાન શિવે દરેક દેવતાઓ સામે એક પ્રસ્તાવ મૂક્યો જે પણ પહેલા પૃથ્વીની ત્રણ વખત પરિક્રમા કરીને કૈલાશ પરત આવશે એ જ લોકા બધા દેવતાઓમાં સૌથી પહેલા પૂજવામાં આવશે. ભગવાન શિવનો આદેશ મળતાં જ દરેક દેવતાઓ પૃથ્વીનું ચક્કર લગાવવા નિકળી પડ્યા.
ભગવાન ગણેશ પોતાની બુદ્ધિના કારણે એમને એમના પિતા શિવ અને માતા પાર્વતીની જ 3 પરિક્રમા કરીને એમની સામે ઊભા રહી ગયા. ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઇ ગયા અને કહ્યું કે જે પણ મુનષ્ય કોઇ પણ કાર્ય કરતાં પહેલા ભગવાન ગણેશની પૂજા કરશે એમાં કોઇ પણ પ્રકારની અડચણ આવશે નહીં.