નવલી નવરાત્રીનો ભવ્ય શુભરાંભ થઇ ગયો છે. ઠેર-ઠેર ગરબાની રમઝટ ઝામી છે ત્યારે આજે નવરાત્રિના પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વરૂપ એવાં બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જગદંબાના ઉપાસકો આજના દિવસે પોતાના મનને માતાજીનાં ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. આમ બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા. જેના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.
શાસ્ત્રોના જણાંવ્યા મુજબ મા દુર્ગાનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારું છે. તેમની ઉપાસનાથી સાધકમાં તપત્યાગવૈરાગ્યસદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે અને જીવનનાં કપરા સંઘર્ષકાળ દરમ્યાન પણ તેમનું મન કર્ત્યવ્ય પથ પરથી વિચલિત થતું નથી. માતાજીની કૃપાથી તેને સર્વ સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે.
આસો નવરાત્રીના આજે દ્વિતીય દિવસ નિમીત્તે તેમની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘સ્વાધિષ્ઠાન’ ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં રહેલા મનવાળો યોગીમા બ્રહ્મચારિણીની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે.આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમનો વિવાહ થઈ ગયો હોય પરંતુ લગ્ન થયાં ના હોય. તેમને પોતાના ઘરે આમંત્રિત તેમનું પૂજન કરીતેમને ભોજન જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્રવાસણ વગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે. જગદંબાની ઉપાસના કરનાર સાધકનું મનવાંચ્છુક ફળની પ્રાપ્તિ થાય છે અને માતાજીની કૃપા સાધક અને તેના પરીવાર પર અવિરત બની રહે છે.