રાજય સરકાર છેવાડે આવેલા ગામડાઓ માટે અવનવી યોજનાઓ સાથે વિશેષ સુવિધાઓ અને વિકાસની વાતો કરી રહી છે. પરંતુ અહી દેવભુમિ દ્વારકામાં આવેલી જામ ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં સ્ટાફની અછત અને સુવિધાઓ ન હોવાથી દર્દીઓ થઇ રહ્યા હેરાન પરેશાન.. આવો જોઇએ અમારા વિશેષ અહેવાલમાં કે કોણ કરશે દર્દીઓનો ઇલાજ?
આ છે દ્વારકાના ગરીબ દર્દીઓની ભગવાન સમાન ગણાતી જામ ખંભાળીયાની જનરલ હોસ્પિટલ. ન માત્રા ગામના લોકો પણ આસપાસના ગામડાઓથી પણ અહીં મોટી સંખ્યામાં લોકો આ હોસ્પિટલમાં ઇલાજ માટે આવી રહ્યા છે પણ આ જનરલ હોસ્પિટલમાં હાલ 2 જ ડોકટર હોવાથી લોકોને પડી રહી છે ભારે હાલાકી. બિમારીના ઇલાજ માટે સવારથી સાંજ માટે દર્દીઓ તબીબોની રાહ જોઇને બેઠા રહે છે. હોસ્પિટલમાં ડોકટરના અછતના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે. સ્વીપર પણ હાજર ન રહેતા દર્દીઓના સ્ટ્રેચરમાં લઇ જવા સગાઓએ જહેમત ઉઠાવી પડે છે. આટલી હાલાકી છતાં તંત્રના પેટનું પાણી ન હલતા લોકોમાં ભારે રોષ છે. જો કે એવુ પણ નથી કે તંત્રને આ વાતની જાણ નથી. સ્ટાફની અછત હોવાનું ખુદ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ સ્વીકારી રહ્યા છે.
કરોડોની કિંમતે બનાવેલી હોસ્પિટલમાં સ્ટાફની અછત છે. જનરલ હોસ્પિટલમાં દરરોજ 1 હજારથી વધુ દર્દીઓની OPD છે. OPD અન્ય વિભાગોના રૂમો પર તાળા હોવાથી દર્દીઓ નીચે સુઇ રહ્યા છે. વારંવાર આ હોસ્પિટલમાં આવી ઘટનાઓ બનતા છતાં તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. ઇલાજ માટે આવતા દર્દીઓ ખુદ જણાવી રહ્યા છે કે હોસ્પિટલમાં સુવિધાનો અભાવ છે.
અનેકવાર આંદોલનો આવેદનો અને હોબાળો થવા છતાં આરોગ્ય મંત્રીના પેટનું પણ પાણી હલતુ નથી.ત્યારે અહી અનેક સવાલ થાય છે કે કેમ હોસ્પિટલમાં ડોકટરની ભરતી કરાતી નથી? ગરીબ દર્દીઓનું સરકાર કેમ નથી સાંભળતી? દર્દીઓનો ઉકેલ કયારે આવશે? તંત્ર દ્વારા કેમ નથી લેવાતા પગલા? ગરીબ દર્દીઓના ઇલાજનું શું? આરોગ્ય મંત્રી દ્વારા લેવાશે કોઇ પગલા? શું આમ થશે જામ ખંભાળીયાનો વિકાસ? શું આમ થશે છેવાડાના ગામનો વિકાસ? નેતાઓને ચૂંટણીના સમયે જ લોકો યાદ આવે છે?સમગ્ર મામલે કેમ કોઇ સ્થાનિક નેતા ન આવ્યા? જોવું રહેશે કે કયારે આ હોસ્પિટલની સમસ્યા દુર થશે.?