પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનશપગ વચ્ચે દ્વિપક્ષિય મુલાકાત પૂર્ણ થઈ ગઈ છે..વિદેશ મંત્રાલયે આપેલી માહિતી મુજબ ચીન અને ભારત વચ્ચે 1 કલાક સુધી દ્વિપક્ષીય વાતચીત ચાલી. જેમાં બન્ને દેશ વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારવા મુદ્દે ચર્ચા થઈ. આ સાથે સરહદ પર શાંતિ જાળવવા મુદ્દે પણ સહમતિ બની છે. વિકાસના મુદ્દાઓને લઈને પણ વાતચીત થઈ છે. બન્ને દેશ વચ્ચે વિકાસ મુદ્દે વાતચીત થઈ.
ડોકલામ વિશે બન્ને દેશો જાણે છે કે શું ચાલી રહ્યુ છે. એટલે બન્ને દેશ બોર્ડરની સુરક્ષા અને શાંતિ ઈચ્છે છે. પારસ્પરિક સબંધો અને શાંતિ રાખવા માટે બન્ને દેશ સહમત થયા છે. જે મતભેદો ચાલી રહ્યા છે તેને વિવાદનું સ્વરૂપ આપવામાં નહીં આવે. ખાસ કરીને આ બેઠકમાં સુરક્ષા અને શાંતિ મુદ્દે વાતચીત થઈ છે.
બ્રિક્સ સમિટથી અલગ ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થઇ. પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ.. અને તે સમયે જિનપિંગે પીએમ મોદીને કહ્યું કે ચીન ભારત સાથે મળીને પંચશીલ સમજૂતિના પાંચ સિદ્ધાંતો પર સાથે કામ કરવા તૈયાર છે. પંચશીલ સમજૂતિ પર 63 વર્ષ પહેલા 29 એપ્રિલ 1954માં હસ્તાક્ષર થયા હતા.
આ સમજૂતિ ચીનની વિસ્તાર તિબેટ અને ભારત વચ્ચે વેપાર અને સંબંધોને લઇને થઇ હતી. જેમાં પાંચ સિદ્ધાંત હતા. જે આવનારા પાંચ વર્ષ સુધી ભારતની વિદેશ નીતિ માટે કરોડરજ્જૂ સમાન રહ્યા. આ સમજૂતિ તત્કાલીન પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના નેતૃત્વમાં થઇ હતી.
આ સમજૂતિ બાદ હિન્દી-ચીની ભાઇ-ભાઇના નારા લાગ્યા હતા. પંચશીલના પાંચ સિદ્ધાંતોની વાત કરીએ તો. એકબીજાની અખંડતા અને સંપ્રભુતાનું સમ્માન કરવું. પરસ્પર આક્રમણ ન કરવું. એકબીજાના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવો. સમાન અને પરસ્પર લાભકારી સંબંધો અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ જેવા સિદ્ધાંતોનું પાલન કરવાની ચીને વાત કરી છે.
યાદ આવી પંચશીલ સમજૂતિ
મોદી અને જિનપિંગની થઇ મુલાકાત
ભારત અને ચીન વચ્ચે થઇ દ્વિપક્ષીય વાર્તા
પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે થઇ અનેક મુદ્દે થઇ ચર્ચા
સીમા પર તણાવ વચ્ચે યાદ આવી પંચશીલ સમજૂતિ
પંચશીલ સમજૂતિ પર ચીને માગ્યો ભારતનો સહકાર
પંચશીલ સમજૂતિના 5 સિદ્ધાંતો પર કામ કરવા તૈયાર
ભારત અને ચીન વચ્ચે 63 વર્ષ પહેલા થઇ સમજૂતિ
29 એપ્રિલ 1954માં સમજૂતિ પર હસ્તાક્ષર થયા
પંચશીલ સમજૂતિના 5 સિદ્ધાંતો ખાસ
સમજૂતિ થયા બાદ હિન્દી-ચીની ભાઇ-ભાઇના લાગ્યા હતા નારા
અખંડતા અને સંપ્રભુતાનું સમ્માન કરવું
પરસ્પર આક્રમણ ન કરવું
એકબીજાના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવો
સમાન અને પરસ્પર લાભકારી સંબંધો
શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ
ડોકલામ વિવાદ સ્થગિત થયા બાદ ચીન અને ભારત વચ્ચે પહેલી વખત બંને દેશના નેતાએ મુલાકાત કરી છે. ડોકલામ વિવાદ બાદ પ્રથમ વાર બન્ને દેશના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થઇ. આ બેઠકમાં ડોકલામ મુદ્દાને છોડીને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ. ચીની રાષ્ટ્રપતિ શી જિનશપગે કહ્યું કે ભારત અને ચીન બે મોટા પાડોશી દેશ છે. આ સાથે જ બન્ને વિશ્વના સૌથી મોટા અને વિકાસશીલ દેશ પણ છે. તો સાથે જ જિનપિંગે કહ્યું કે ભારત સાથે મળીને પંચશીલ સમજૂતીના 5 સિદ્ધાંતો પર સાથે કામ કરવા તૈયાર છે. તો પીએમ મોદીએ કહ્યું કે તેજ ગતિથી બદલતા વૈશ્વિક પર્યાવરણમાં બ્રિક્સને વધારે તાકતવર બનાવવામાં આ સંમેલન મદદગાર સાબિત થશે. તો સાથે જ મોદીએ ગોવામાં થયેલા બ્રિક્સ સંમેલનની પણ વાત કરી.