ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બરના રોજ ઇટલીના ટસ્કનીમાં લગ્ન કર્યા. આ હાઇપ્રોફાઇલ લગ્નનું પ્લાનિંગ દેવિકા નારાયણ અને તેમના ફોટોગ્રાફર હસબન્ડ જોસેફ રદિકે કર્યુ હતુ.
વિરાટ અને અનુષ્કાના આ ડ્રીમ વેડિંગને સફળ બનાવનાર દેવિકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે ''વિરાટ અને અનુષ્કાના લગ્ન ખૂબ જ સ્પેશિયલ હતા. લગ્ન માટે હોલેન્ડથી ફૂલ મંગાવવામાં આવ્યા હતા અને ઇન્ડિયાથી ફેબ્રિક મંગાવવામાં આવ્યુ હતુ. લગ્નને ખાસ બનાવવા માટે અમારી ટીમ છેલ્લા 45 દિવસોથી મહેનત કરી રહી હતી.''
દેવિકાએ આગળ કહ્યુ કે ''કોન્ટ્રોક્ટ સાઇન કરતા પહેલા મને ખબર જ ન હતી કે કોણા લગ્ન છે અને ક્યાં થશે. અમારે લગ્નને સિક્રેટ રીતે પ્લાન કરવાના હતા. અનુષ્કાએ અમારી પસંદગી એટલા માટે કરી કેમકે તે ઇન્ટિમેટ વેડિંગ ઇચ્છતી હતી તે આ સેલિબ્રેશનમાં માત્ર ફેમિલી અને ક્લોઝ ફ્રેન્ડ્સને જ બોલવવા ઇચ્છતી હતી. તે કોઇ પણ પ્રકારનો શૉ ઑફ કરવા ઇચ્છતી ન હતી. દેવિકાએ જણાવ્યુ કે વિરુષ્કાએ પોતાના લગ્નમાં આવેલા મહેમાનોને રૂમીની કવિતાઓના ક્લેક્શનને ગિફ્ટ કર્યા હતા કેમકે વિરાટ અને અનુષ્કા ખૂબ જ ધાર્મિક છે અને તેઓ બંને રૂમી (ફેમસ કવિ)ને ખૂબ જ પસંદ કરે છે.''
તમને જણાવી દઇએ કે વિરુષ્કાએ પોતાના લગ્નમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. આ કપલે લગ્ન માટે માત્ર 50 લોકોને ઇન્વિટેશન આપ્યુ હતુ. જેમાં દરેક મહ્નન પાછળ 1 કરોડ રૂપિયાની આસપાસ ખર્ચો કરવામાં આવ્યો હતો. જેથી તમામ મહેમાન પાછળ આશરે 45 થી 50 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો.