મુંબઇ: અભિનેત્રી અનુષ્કા શર્માના ચાહકો માટે જશ્ન મનાવવાનો એક સારો મોકો સામે આવી શકે છે. મળતી માહિતી અનુસાર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે.
જી હાં આ વાત હવે સામે આવી રહી છે. તમને જણાવી દઇએ કે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ડિસેમ્બરમાં થનારી શ્રીલંકા ટૂરમાં મેચ ના રમવા માટેની અરજી આપી છે. એટલે કે એ ડિસેમ્બરમાં રજાઓ ઇચ્છે છે. રજાઓ માટેનું કારણ પર્સનલ લખ્યું છે. માત્ર આટલું જ નહીં અનુષ્કાના નજીકના મિત્રોએ જણાવ્યું છે કે એ પણ ડિેસેમ્બરમાં કોઇ શૂટિંગ કરવા ઇચ્છતી નથી. તો શું બંને આ ડિસેમ્બરમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે અથવા લગ્નનો નિર્ણય લેવાઇ ગયો છે.
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ વિરાટ અને અનુષ્કાએ માન્યવરની જાહેરાતમાં સાથે કામ કર્યું. જાહેરાતમાં એક લગ્નની થીમ પર આધારિત હતી. જેમાં બંને લોકો સાત વચનની કસમો નિભાવતાં જોવા મળ્યા.