નર્મદાઃ ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભામાં શહિદ અશોક તડવીની પુત્રી પોતાની માંગ માટે મળવા પહોંચી હતી. પરંતુ વિજય રૂપાણી તેમનીન સાથે મળ્ચા ન હતા. ત્યારબાદ રાહુલ ગાંધીએ આ મામલે ટ્વીટ કર્યુ હતું.
રાજકરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. આ મામલે Vtv દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવ્યું. ત્યાર હવે Vtvના અહેવાલની અસર થઈ છે. નર્મદામાં શહિદ થયેલ અશોક તડવીના પરિવારને સરકાર દ્વારા જમીન આપવામાં આવી છે. સરકાર દ્વારા 200 ચો.મીટર રહેણાકનો પ્લોટ આપવામાં આવ્યો છે.
મહત્વનુ છે કે 14 વર્ષ બાદ સરકાર દ્વારા શહિરના પરિવારને જમીન આપવામાં આવી છે. શહિદની પુત્રી દ્વારા સીએમની સભામાં હેબાળો કર્યા બાદ સરકાર દ્વારા જમીન આપવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયામાં સભા સંબોધી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલા સ્ટેજ પર દોડી આવી હતી. આ મહિલા સ્ટેજ પર આવતા મહિલા પોલીસ અધિકારીઓએ સીએમ વિજય રૂપાણીને મળવા માટે જવા દીધી ન હતી.
મહત્વનુ છે કે આ મહિલા શહિદ અશોક તડવીની દિકરી છે અને તે મુખ્યમંત્રીને જમીન મામલે રજૂઆત કરવા માટે જઈ રહી હતી પરંતુ મહિલા પોલીસ અધિકારીઓએ તેમને મળવા દીધી ન હતી. આ દરમિયાન વિજય રૂપાણીએ પણ મહિલા પોલીસને તેમણે સાઈડમા જવા માટે કહ્યુ હતુ અને તેમણે પછી મળીશુ તેમ કહ્યુ હતુ..
જો કે યુવતી તો પણ માની ન હતી અને તેમને મળવાની જિદ કરી રહી હતી. આ યુવતીને 3 થી 4 મહિલા પોલીસ કર્મચારીઓ તેને ઉંચકીને સાઈડમાં લઈ જઈ રહ્યા છે. જો કે આ હોબાળો થતાં સભામાં બધા ચોંકી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા મહિલાઓને સંબોધન કરવાના છે. મોદી મહિલાઓની સમસ્યા અને તેના ઉકેલ અંગે રાજ્યની મહિલાઓ સાથે ચર્ચા કરવાના છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા આ યુવતીની કરાયેલી અવગણનાની લોકો ટીકા કરી રહ્યા છે.