ગણપતિ સ્થાપના અને 11 દિવસ સુધી આરાધના અને અર્ચના કર્યા બાદ વડોદરાવાસીઓએ ગણપતિનું ધામધૂમ પૂર્વક વિસર્જન કર્યું હતું. વડોદરાવાસીઓએ ગણપતિ બાપા એટલે કે શ્રીજીની વામન કદની મૂર્તિનું ભાવપૂર્વક વિસર્જન કર્યું હતું. આજે સવારથી બપોરસુધી નાના કદની ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરાયું હતું.
તો બપોર બાદ શ્રીજીની મોટી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું...શાસ્ત્રોક્ત વિધિસર થતું વિસર્જન મોડી રાત સુધી ચાલશે. વિસર્જન વખતે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે...
વડોદરામાં ધામધૂમ પૂર્વક ગણપતિનું વિસર્જન કરાયું
સવારથી બપોર સુધી શ્રીજીની વામન કદની મૂર્તિનું કરાયનં વિસર્જન
બપોર બાદ વિરાટ કદની પ્રતિમાનું કરાયું વિસર્જન
શાસ્ત્રોક્ત વિધિથી શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે વિસર્જન