ગુજરાત વિધાનસભાની ચુંટણી હાલમાં જ પુરી થઇ અને ગુજરાતના દરેક પક્ષના ઉમેદવારો મતગણતરીના દિવસની રાહ જોઇને બેઠા છે ત્યારે તાજેતરમાં સોશ્યલ મિડીયમાં હાલ એક મેસેજ વાયરલ થયેલ છે. કે 18 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ઇન્ટરનેટ સવારે 8 થી સાંજે 6 સુધી બંધ રહેશે.
આ મેસેજ સાથે ચુંટણી પંચનો લેટર ફરતો થયો છે.હાલ સમગ્ર રાજ્યમાં આ મેસેજ વાઈરલ થયો છે. દરેક વોટ્સએપ ગ્રુપમાં આ અંગે ચર્ચાઓ ચાલી રહી છે કે શું ખરેખર મતગણતરીના દિવસે ઈન્ટરનેટ બંધ રહેશે.
આ બાબતે એક ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેમને આ અંગે કોઈ નોટિફિકેશન ચૂંટણી પંચે બહાર પાડ્યું છે કે નહીં તેવું પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે આ ખોટો વાઈરલ મેસેજ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.