ભારતીય બોક્સિંગ સ્ટાર વિજેન્દ્ર સિંહે ચીનના જુલ્ફીકાર મૈઇતિયાલીને બોક્સિંગમા હરાવી દીધો છે. WBO એશિયા પેસિફિક સુપર મિડિલવેટ ખિતાબ જીત્યા તેણે પોતાને મળેલ તે ખીતાબ પરત કર્યો હતો અને ભારત-ચીનની સીમા પર શાંતિની અપીલ કરી છે.
ઓલંપિકમાં કાંસ્ય પદક જીતનારા ભારતીય બોક્સિંગ સ્ટાર વિજેન્દ્ર સિંહે ખિતાબ જીત્યા બાદ કહ્યું કે આ બેલ્ટને તેઓ જુલ્ફીકારને પરત આપવા માગે છે અને ભારત-ચીનની સીમા પર શાંતિ બની રહે તેવી અપીલ પણ કરવાની વાત કરી હતી. કારણ કે વિજેન્દ્ર સિંહ માટે શાંતિનો સંદેશ વધારે મહત્વપૂર્ણ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે અને તાજેતરમાં પણ ચીનના કેટલાક સૈનિકોએ ગેરકાયેદસર રીતે ભારતીય સીમામાં પ્રવેશ કરી વિવાદમાં વધારો કર્યો હતો. આ સમયે ભારતીય બોકસરે ચીનના એક ખિતાબ જીત્યા બાદ તેને પરત કરી બન્ને રાષ્ટ્ર વચ્ચે શાંતિ બની રહે તેવો સંદેશ આપ્યો હતો.