મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મુખ્યમંત્રી પદનો પદભાર સંભાળશે.તો બીજી બાજુ જયેશ રાદડીયા કેબિનેટમંત્રી તરીકે ચાર્જ સંભાળશે. મુખ્યપ્રધાન ગઈકાલે જ પદભાર સંભાળવાના હતા.જોકે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આજે પદભાર સંભાળશે.
ઉલ્લેખનીય છે કે આ સાથે ગણપત વસાવા અને ઇશ્વર પરમાર પણ કેબિનેટમંત્રી તરીકેનો પદભાર સંભાળવાના હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતુ.
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરીવાર જીત મેળવીને સરકાર રચવાનો દાવો કર્યો હતો ત્યારબાદ ગુજરાતની નવી સરકારનો શપથવિધી કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો અને 20 જેટલાં ધારાસભ્યોએ મંત્રી થવાના શપથ લીધા હતા.
મંત્રીમંડળની રચના બાદ વિવિધ ખાતાંની ફાળવણી અંગે ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને સાઇડ લાઇન કરાતાં તેમણે વિરોધ કર્યો હતો જો કે ત્યારબાદ તેમને નાંણામંત્રાલય સોંપીને મનાવવામાં આવ્યા હતા.