ભાગેડું શરાબ વેપારી વિજય માલ્યાએ લંડનમાં વેસ્ટમ્નિસ્ટર કોર્ટમાં જતાં પહેલા પોતાની સ્પષ્ટતા કરી છે. એમને કહ્યું કે મેં વારંવાર કહ્યું છે કે મારી ઉપર લાગેલા આરોપ ખોટા અને નિરાધાર છે. મારી પાસે કંઇ કહેવા માટે નથી. કોર્ટમાં બધું જ એની જાચે જ સ્પષ્ટ થઇ જશે.
માલ્યાએ કહ્યું કે હું નિર્ણય લેનાર નથી. હું કાર્યવાહીનું પાલન કરી રહ્યો છું. મારી પાસે કહેવા માટે કંઇ પણ નથી. તમને જણાવી દઇએ કે માલ્યાને દગો અને મની લોન્ડ્રિંગના કેસમાં સ્કોટલેડ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ માલ્યા 6.50 લાખ પાઉન્ડના બેલ બ્રાન્ડ પર મુક્ત થયા હતા.
I am not the decision maker. I will follow the proceedings. I have nothing to say: #VijayMallya ahead of appearing before London's Westminster Court in connection with extradition case pic.twitter.com/VEr0aSZHpg
r />61 વર્ષીય માલ્યાને પરત લાવવા માટે ભારતના મામવાના પ્રતિનિધિત્વ બ્રિટેન સરકારની ક્રાઉન પ્રોસીક્યૂશન સર્વિસ માધ્યમથી કરવામાં આવશે. સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું કે વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાની આગેવાનીમાં એક દળ રવિવારે લંડન રવાના થઇ ગયા અને એ વેસ્ટિમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં શરૂ થવા જઇ રહેલી સુનવણી દરમિયાન ઉપસ્થિતિ રહેશે.
માર્ચ 2016માં બ્રિટેન જતાં રહેલા માલ્યા વિવિધ ભારતીય બેંકોથી 9000 કરોડ રૂપિયાની લોન લઇને એને ના ચુકવવાની બાબતે ભારતમાં વાંછિત છે. છેલ્લા કેટલાક મહિવાથી વિવિધ કોર્ટમાં હાજર દરમિયાન રાજ્યસભાના પૂર્વ સભ્ય માલ્યાએ જણાવ્યું કે એમને કંઇ પણ ખોટું કર્યું નથી અને એમની પર લગાવવામાં આવેલા આરોપ વાસ્તવમાં ખોટા છે.