અમદાવાદઃ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં 64મો પદવીદાન સમરોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ટેલિફોનીક ક્રાંતિના પ્રણેતા સામ પિત્રોડા ઉપસ્થિત રહ્યા હતા. સામ પિત્રોડાએ વિદ્યાપીઠમાંથી પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે વિદ્યાર્થીઓને સંબોધતા સામ પિત્રોડાએ જણાવ્યું હતુ કે પદવીની સાથે તમારા પર ગાંધીના વિચારની જવાબદારી છે.
ગાંધીજી સાદગી પૂર્ણ જીવન જીવ્યા હતા છે અને તેમનું જીવન આપણા માટે સંદેશ છે. હાલમાં ગાંધી ભૂલાઈ રહ્યા છે. સાથે જણાવ્યું કે હાલના સમયમાં લોકશાહી હાઈજેક થઈ ગઈ છે. લોકશાહી યોગ્ય રીતે બહાલ થાય તે માટે ગાંધી મુલ્યો તરફ વળવુ પડશે. આપણી પાસે ટેક્નોલોજી છે માધ્યમો છે પણ તેનો યોગ્ય દિશામાં જેટલો ઉપયોગ થવો જોઈએ તેવો થયો નથી.
ગાંધીજીના જમાનામાં ફેસબુક ટ્વિટર જેવા સોશ્યલ મીડિયાના માધ્યમ ન હતા તેમ છતાં ગાંધીના કેરેક્ટર પાસે મોટો પાવર હતો. આ સાથે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ 22 વર્ષથી સતા પર નથી. ત્યારે કોંગ્રેસે બધાની વાત સાંભળવાની જરૂર છે. કોઈની ટિકા કરવાથી કંઈ થવાનું નથી.