બોલીવુડની ફિલ્મ 'ચરિત્ર'ના અભિતેના રહી ચૂકેલા અને મોટાભાગના ફિલ્મમાં પોલીસની ભૂમિકા નિભાવી ચુકેલા જગદીશ રાજની પુત્રી અને બૉલીવુડ અભિનેત્રી અનિતા રાજ હાલ રાજપીપળાની મહેમાન બની છે.
ત્યારે હાલમાં ખુબ ચર્ચામાં રહેલ સંજયલીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' વિષે મીડિયા દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે ત્યારે આ અભિનેત્રીએ જણાવ્યું કે સંજય લીલા ભણસાલી એક ખુબ સારા નિર્દેશક છે અને તેમની ફિલ્મોં ઘણી સારી હોય છે. આ ફિલ્મ પણ એટલી જ સારી હશે.
આગામી 25 તારીખે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. તેમનું માનવું છે કે રાજપીપળા એક સારી જગ્યા છે અને તેમની ઘણા વખતથી રાજપીપળા આવવાની ઈચ્છા હતી. એક ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે અહીં આવી ત્યારે આ ઈચ્છા પુરી થઇ છે.
અનિતા રાજે 'ઝરા સી ઝિંદગી' 'ઝમીન આસમાન' અને 'માસ્ટરજી' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.