એવું કહેવાય છે કે મગરનો સ્વાભાવ જન્મથી જ ઘાતક હોય છે પરંતુ ભારતમાં આવેલ આ મંદિરનુ ધ્યાન મગર રાખે છે. અને ભગવાનને ધરાવાવામાં આવેલ પ્રસાદ ખાઇને પોતાનું જીવન પસાર કરે છે. કેરળના અનંતપુર લેક મંદિરમાં રહેતા મગરોની આ ખાસીયત જોઇને દર્શનાર્થીઓ પણ અચંબિત થઇ જાય છે.
ત્યાં રહેતાં લોકોના જણાવ્યું હતું કે બબીયા નામનો આ મગર છેલ્લા કેટલાક સમયથી આ મંદિરની રખેવાળી કરી રહ્યો છે. તેનો સ્વભાવ એકદમ શાંત છે અને તે શાકાહારી ભોજન કરે છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ તળાવમા રહેતા મગર છેલ્લા 150 વર્ષથી આ મંદિરનું ધ્યાન રાખે છે. અને અહીં એક વખતમાં એક જ મગર દેખાય છે. જો તે મગર મરી જાય તો આપો-આપ બીજો મગર આવી અગાઉના મગરની જવાબદારી સ્વીકારી લે છે.