ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં એવા કેટલાય ઉપાયો સુચવવામાં આવ્યા છે જેના દ્વારા કેટલાય પ્રશ્નોનું નિરાકરણ શક્ય બને છે. કેટલીક વાર પોતાના ઘરમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય ગરીબીનો સામનો કરવો પડતો નથી. કેટલીક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સફળતા આંગણે આવી ઉભી રહી છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ બાબતોનું અચુક ધ્યાન રાખવુ જોઇએ.
- વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણી અને ડસ્ટબિન ક્યારેય ખુલ્લા ના રાખવા જોઇએ. તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
- ખુલ્લુ પડેલ ઘરનું માળીયુ સકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. જેનાં કારણે વ્યક્તિને કેટલીય તકલીફો માંથી પસાર થવું પડે છે.
- ભુલથી પણ બેડરૂમમાં સુવાની જગ્યા સામે અરીસો સામે ના રાખવો જોઇએ. અરીસો આ રીતે રાખવાથી પતિ અને પત્નીના સંબંધો બગડે છે. અને ઘર પર આર્થિક સ્થિતી પર ખરાબ અસર પડે છે.
- કોઇપણ રૂમમાં બીમની નીચે પલંગ ના રાખવો જો આવુ થશે તો ઘરના સભ્યો વચ્ચે તણાવ વધવાની શક્યતા રહે છે.
- ઘરમાં રહેલ બાથરૂમ ક્યારેય ખુલ્લુ ના રાખવુ જોઇએ.ખુલ્લા રહેલા બાથરૂમમાંથી નકારાત્મક ઉર્જા વધે છે.
- ઘરની તિજોરી ક્યારેય ખુલ્લી ના રાખવી જોઇએ આમ થવાથી ધનની અછત થાય છે. અને ગરીબી આવે છે.