વાસ્તુશાસ્ત્ર અનુસાર રાતે સૂતા સમયે કેટલીક વસ્તુઓને તમારાથી દૂર રાખવી જોઇએ. જો આવું ન કર્યુ તો તમને શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જાણો કઇ છે આ 5 વસ્તુઓ જેને સૂતા સમયે તમારી જાતથી દૂર રાખવી જોઇએ..
પર્સ:
રાતે સૂતા સમયે પર્સ અથવા તો વૉલેટ તમારા માથાંની પાસે રાખીને ન સૂઇ જવું જોઇએ. આવું કરવું વાસ્તુની રીતે સારું માનવામાં નથી આવતું. આવું કરવાથી મનુષ્ય દર સમયે રૂપિયાથી સંબંધિત ચિંતાઓથી ધેરાયેલો રહે છે.
ઘડિયાળ મોબાઇલ અથવા કોઇ ઇલેક્ટ્રોનિક ગેજેટ:
કોઇ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક ગેજેટને માથાની પાસે રાખીને સૂવાથી વારંવાર ઉંઘ ઉડી જાય છે સાથે જ સ્વાસ્થ્ય રીતે પણ આ યોગ્ય નથી. આવું કરવાથી વ્યકિતના માનસિક તણાવમાં વધારો થઇ જાય છે.
કોઇ ડારામણી ફોટો અથવા તો શોપિસ:
સૂતા સમયે કોઇ ડરામણી ફોટો કે શોપિસની નજીક ન રાખવી જોઇએ. આવું કરવાથી નેગેટિવ એનર્જીમાં વધારો થાય છે અને આખી રાત નેગેટિવ વિચારો આવ્યા કરે છે.
પુસ્તક કે સમાચારપત્ર:
વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યકિતએ પોતાના તકિયાની નીચે પુસ્તક સમાચારપત્ર અથવા તો મેગેઝિન જેવી વાંચવાની વસ્તુ ન રાખવી જોઇએ. રાતે સૂતા સમયે માથાની પાસે રાખવાથી જીવન પર ખોટો પ્રભાવ પડે છે.
જૂતા-ચંપલ:
સૂતા સમયે ક્યારેય પણ જૂતા અને ચંપલને તમારા માંથાની પાસે કે પલંગની નીચે ન રાખવા જોઇએ. આવું કરવાથી સ્વાસ્થ્ય અને ધનને લઇને નેગેટિવ ઇફેક્ટ પડે છે.