ઘરમાં સકારાત્મક ઉર્જા મેળવવાં માટે પુજાઘર રાખવાનું ખાસ મહત્વ રહેલુ છે. ઘરની અંદર રાખવામાં આવેલ મંદિરને કારણે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને અને ધરમાં ધાર્મિક વાતાવરણ જળવાઇ રહે છે. ઘરની અંદર પુજાઘર રાખવાનું મહત્વ સદીઓથી ચાલ્યું આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક બાબતો એવી સમજાવવામાં આવી છે જેમાં ઘરમાં રહેલ પુજાઘરની અંદર અમુક દેવી-દેવતાઓની મુર્તીઓ રાખવાને કારણે મોટા ભાગે નુકસાન થતું હોય છે. જેનાં કારણે ઘરમાં રહેલ સુખ-સંપત્તિમાં ઘટાડો થાય છે. અને પરિવાર વચ્ચે અંદરો-અંદર ઝઘડાઓ પણ થાય છે.
નટરાજ
નટરાજને ભગવાનનું રૌદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. એટલે ક્યારેય નટરાજની મુર્તી ઘરમાં ના રાખવી જોઇએ અને તેનુ પુજન પણ ઘરમાં રાખી ના કરવી જોઇએ.
કાળ ભૈરવ
ઘરની અંદર રહેલ પુજાઘરમાં કાળભૈરવની મુર્તી રાખી તેનું પુજન કરવુ વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય બાબત નથી. કાળભૈરવને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે અને અને તે તંત્ર શાસ્ત્રનાં દેવ માનવામાં આવ્યા છે. તેથી તેનુ પુજન ઘરની બહાર થાય તે યોગ્ય છે.
શનિદેવ
એવુ કહેવાય છે કે શનિદેવની વક્રનજર જેના પર પડી તેના ખરાબ દિવસની શરૂઆત થાય છે. ભગવાન શનિની મુર્તીને ઘરની બહારનાં ભાગમાં પુજન થાય તે વધુ સારી વાત છે.
રાહુ-કેતુ
રાહુ-કેતુની મુર્તીનું ઘરમાં પુજન ન થાય તે ખાસ ધ્યાન રાખવુ જોઇએ. ઘરની અંદર રહેલ મંદિરમાં આ દેવનું પુજન કરવુ વાસ્તુશાસ્ત્રની રીતે અશુભદાયી માનવામાં આવે છે.