જેમ-જેમ સમય વીતતો ગયો છે તેમ તેમ લોકોમાં પણ પરિવર્તન આવતા રહ્યા છે.માણસની રહેણી-કહેણી બદલાતા લોકજીવન પણ બદલાયું છે.તેમાં પણ ભારતીય પરંપરાઓ અને વિચારધારામાં મોટો બદલાવ આવેલો જોવા મળે છે.
વિદેશના રંગે રંગાયેલ ભારતીય યુવક-યુવતીઓ પોતાના વસ્ત્રોમાં પણ ફેરફાર કરવા લાગ્યા છે.કપડાંએ માણસની ઓળખાણ હોય છે આ સાથે ભારતીય ગ્રંથોમાં કપડાંને લઈને પણ કેટલીક બાબતો આલેખવામાં આવી છે.
ફેશનમાં માનતી આજકાલની પેઢીને ફાટેલ-તૂટેલ કપડાં પહેરવાનું ઘેલું લાગેલું છે.ખાસ કરીને જીન્સમાં ફાટેલા જીન્સ-ટોપ પહેરવાનો ક્રેઝ આજકાલની યુવાપેઢીને ખાસ ગમે છે.તો કપડાં બાબતે પણ કેટલીક વાતો આપણા હિન્દૂ શાસ્ત્રમાં આલેખાઈ છે.
કોઈપણ વસ્ત્રનો સીધો સંબંધ શુક્ર ગ્રહ સાથે રહેલો છે. ફાટેલા-તૂટેલા કપડાં પહેરવાથી શુક્ર ગ્રહ પ્રભાવિત થાય છે.આપણા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાટેલા કપડાં પહેરવાથી શારીરિક ક્ષમતા અને ઉર્જા નષ્ટ થાય છે.આ પ્રકારના કપડાં પહેરવાથી શરીરને શિથિલ બનાવી કેટલીયે બીમારીને નોતરે છે.
શુક્રને પ્રેમ અને રોમાન્સનો અને દામ્પત્ય જીવનનો ગ્રહ પણ માનવામાં આવે છે.વાસ્તુશાસ્ત્રમાં ફાટેલા કપડા પહેરવા બાબતે જણાવાયું છે કે આવા પ્રકારના કપડાં પહેરવાથી ખરાબ સંયોગ લઈને આવે છે.
જે ગરીબીને પણ નોતરું આપે છે.આ પ્રકારના કપડાં પહેરવાથી તમારું કામ સફળ થતું હોય તો પણ તે નિષ્ફળ થઇ જાય છે.આ સાથે નકરાત્મક ઉર્જાનો ઘરમાં સંચાર થાય છે અને સકારાત્મક ઉર્જા ઓછી થાય છે.