અમદાવાદઃ ઉતરાયણનાં દિવસે સરકારી ઓફિસમાં કર્મચારીઓ અને અધિકારીઓને રજા આપવામાં આવે છે. પરતું વાસી ઉતરાયણની સરકારી ચોપડે રજા નથી હોતી પરંતુ કેટલીક ઓફિસો દ્વારા જાતે જ રજા પાડી દેવામાં આવી છે.
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ યુનીર્વસીટી ગ્રંથ નિર્માણ બોર્ડનાં તમામ સભ્યોએ સરકારના નિયમ વિરૂદ્ધમાં જઈને રજા પાડી હતી. આ જ બિલ્ડીંગમાં આવેલા રાષ્ટ્રીય સેવા આયોગનાં પણ તમામ કર્મચારીઓ પણ જાતે જ રજા પાડી હતી. ઓફિસ ખુલ્લી જોવા મળી હતી પણ તમામ કર્મચારીઓની ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
માત્ર કોન્ટ્રાક્ટ પ્રથા પર કામ કરતા સિક્યોરીટીની ફરજ બજાવતાં એક વ્યક્તિ સિવાય તમામ લોકો વાસી ઉતરાયણ રજા ઉપર હતાં. જેને કારણે પુસ્તક લેવા માટે આવેલા વિદ્યાર્થીઓ નિરાશ થઈને પરત ફર્યાં હતાં. સરકારી રજા ન હોવા છતાં રજા પર ઉતારી ગયેલા 14 કર્મચારી સામે કેવા અને ક્યારે પગલાં ભરવામાં આવે છે તે હવે જોવું રહ્યું.