જમ્મુ: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે માં વૈષ્ણોદેવીને દર્શનને લઇને એક મહત્વનો આદેશ રજૂ કર્યો છે. એનજીટીએ આદેશ આપતાં કહ્યું કે હવે એક વખતમાં 50 હજારથી વધારે લોકોને ઉપર જવા દેવામાં આવશે નહીં. આ આદેશ સોમવારથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.
વૈષ્ણોદેવી દર્શન કરવા જઇ રહેલા શ્રદ્ધાળુઓની ભારે સંખ્યાને જોઇને એનજીટીએ આ પગલું ભર્યું છે. એનજીટીએ કહ્યું છે કે જો દર્શન કરવા માટે 50 હજારથી વધારે લોકો હોય છે તો એમને અર્દ્ધકુંવારી અથવા કટરા પર જ રોકવામાં આવશે.
દિલ્હી એનસીઆરમાં છેલ્લા ઘણા સમયથી વધેલા પ્રદૂષણ પર સુનવણી દરમિયાન એનજીટીએ આ વાત કહી. એનજીટીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર સ્થિત વૈષ્ણોદેવી શ્રાઇનની યાત્રા કરનાર યાત્રીઓની સંખ્યા સીમિત કરી દેવામાં આવી છે.
વૈષણોદેવીના દરબારમાં 50 હજાર લોકોની જ ક્ષમતા છે અને એનાથી વધારે લોકોને ત્યાં જવાની અનુમતિ આપવાનો ખતરનાક હોઇ શકે છે જેના કારણે અહીંયા રોક લગાવી દેવામાં આવી છે. જો કે હજુ સુઝી આ વાતની જાણકારી મળી શકી નથી કે આ રોક લાગેલી રહેશે.
આ ઉપરાંત વધતા પ્રદૂષણના કારણે વૈષણદેવીમા કોઇ પણ પ્રકારના નવા નિર્માણ પર રોક લગાવવામાં આવી છે. જો કે કન્ટ્રક્શન પર કોઇ કોઇ પણ પ્રકારની કોઇ રોક લગાવવામાં આવી નથી. જણાવી દઇએ કે વૈષ્ણોદેવીમાં ઘણી વખત લેન્ડ સ્લાઇન્ડિંગના કારણે ઘટના ઘટી જાય છે.