વડોદરાઃ વડોદરા સુમનદિપ લાંચકાંડના મામલામાં આરોપી મનસુખ શાહ સામે ACB થોડા જ દિવસોમાં ઘટસ્ફોટ કરી શકે છે. મનસુખ શાહ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવા તજવીજ કરી છે. ઉલ્લેખનિય છે કે યુનિવર્સિટીના સંચાલક રૂપિયા 20 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. અને તપાસ દરમિયાન કરોડોના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા.
લાંચના આરોપી ડો. મનસુખ શાહ લાંચ કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓએ કાયદેસરની ફી જમા કરાવી હોવા છતાં પણ વધારાની રકમ માંગતો હતો અને જો ન આપે તો મનસુખ પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી આપીને નાણાં પડાવતો હતો. સમગ્ર ઓપરેશનને ભરત સાવંત અને અશોક ટેલર ઓપ આપતા હતાં. વિદ્યાર્થીનીના વાલી પાસેથી 20 લાખની લાંચ પણ આ મોડસ ઓપરેન્ડીના ભાગરૂપે જ મગાઇ હતી. જેને લઇ આરોપી મનસુખ શાહ સામે એસીબી થોડા દિવસોમાં ઘટસ્ફોટ કરી શકે છે.