ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જન વિકલ્પ પાર્ટીએ ઝંપલાવ્યું છે. ત્યારે શંકરસિંહ વાઘેલાની જન વિકલ્પ પાર્ટીનું વડોદરા શહેર જિલ્લા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. કારેલીબાગના VIP વ્યુમાં કાર્યાલય ખોલવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રમુખ હેમચંદ્ર બોચરે ડૉ રાજેદ્રશસહ રાઠોડ અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
જન વિકલ્પ પાર્ટીમાં અત્યાર સુધી 300 કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી જોડાયા છે. જન વિકલ્પ પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિનોદ નાયકે જણાવ્યું હતું કે ભાજપે 25 વર્ષમાં ભ્રષ્ટાચાર કર્યો છે જેથી પ્રજા હવે કંટાળી ગઇ છે. જન વિકલ્પ પાર્ટી પ્રજા માટે ત્રીજો વિકલ્પ બનશે.
જન વિકલ્પ પાર્ટીની સરકાર બનશે તો જીએસટી માં ફેરફારનું આયોજન કરવામાં આવશે શિક્ષણ વ્યવસ્થા સુધારવામાં આવશે. ચૂંટણીમાં 182 સીટો પરથી ઉમેદવારો ઉભા રાખીશું. વડોદરા શહેર જિલ્લાની 10 સીટ પર ઉમેદવારો ચૂંટણી લડશે.