વડોદરા: વડોદરામાં પોલીસ વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરીયાદ નોંધાઇ છે. વડોદરા કોંગ્રેસ આઇટી સેલના ચેરમેન દેવ પટેલે પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવા બદલ આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાવી છે.
નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પંચે આચાર સહિતા લાગુ કરી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાની મુલાકાતે હતા તે સમયે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવતા પોલીસે આચાર સહિતાનો ભંગ કર્યો હોવા અંગે આ ફરીયાદ દેવ પટેલે નોંધાવી છે.
ઉલ્લેખનીય છે નજીકના ભવિષ્યમાં ગુજરાત ખાતે વિધાનસભાની આગામી ચુંટણી આવી રહી હોવાથી ચુંટણીપંચ દ્વારા ગુજરાતમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં ચુંટણીને કારણે દરેક પક્ષો દ્વારા મતદાતાઓને વિવિધ પ્રકારની જાહેરાતો કરીને આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તથા વિવિધ પક્ષોના દિગ્ગજ નેતાઓની ગુજરાતમાં અવર-જવર શરૂ થઇ ચુકી છે ત્યારે ગઇકાલે વડોદરા પ્રચારઅર્થે પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કારણે કોગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરાતા આદર્શ આચારસંહિતાનો ભંગ થયો હોવાથી વડોદરાના આઇટી સેલ દ્વારા પોલીસ વિરૂધ્ધ ફરિયાદ ચુંટણી પંચ પાસે નોંધાવવામાં આવી હતી.