વડોદરા: આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કાર્યકરો દ્વારા પ્રચાર કરવામાં આવે છે.ત્યારે હવે વડોદરાના ભાજપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.
આ કાર્યકરો વડોદરાના નવીધરતી ગોળવાડમાં હેન્ડીબીલ અને ચોકલેટ વેચી રહ્યા હતા. ત્યારે ચૂંટણી અધિકારીએ કાર્યકરોને ઝડપી પાડયા છે.
ત્યારે હવે ભાજપ દ્વારા આચારસંહિતાનો ભંગ કરતા કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના કાર્યકરોની પોલીસે અટકાયત કરતા ભાજપના ઉમેદવાર રાજેદ્ર ત્રિવેદી પોલીસ સ્ટેશને પહોચ્યા હતા.
અને આ દરમિયાન તેમણે નિવેદન આપ્યુ છે કે આ કોઈ આચારસંહિતાનો ભંગ નથી અને કહ્યુ છે કે અધિકારીઓને કોઈ સમજણ નથી. કાર્યકરો શાંત પ્રચાર કરી રહ્યા છે.જેથી કોઈ વાંધો નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન આવતી કાલે યોજાવાનું હોવાથી ચુંટણી પંચની ગાઇડલાઇન મુજબ ગઇકાલે સાંજે 5 વાગે જાહેર સભા કરવા પર અને પ્રચાર પર પાબંધી આવી હતી પરંતુ ડોર ટુ ડોર પ્રચાર માન્ય રહ્યો હતો ત્યારે BJP ના કેટલાક કાર્યકરોની ધરપકડ કરવામાં આવતા ભાજપના નેતા અને વડોદરાના ઉમેદવાર પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા.