બનાસકાંઠા ની વડગામ બેઠક પર આજે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જોકે ઉમેદવારી નોંધાવા આવેલા જીગ્નેશ મેવાણીનો સ્થાનિકો એ વિરોધ કર્યો હતો
આખરે દલિત નેતા જીગ્નેશ મેવાણી ને પણ રાજકારણ નો રંગ લાગી ગયો છે અને આજે તેઓએ બનાસકાંઠા ની વડગામ એસ સી સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે જીગ્નેશ ખુલ્લી જીપમાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધવવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેને વડગામના સ્થાનિક લોકોએ બાહરી હોવાનું કહીને વિરોધ કરતા જીગ્નેશ મેવાણી ના સમથૅકો મા પણ સોપો પડી ગયો હતો.
જોકે ત્યાર બાદ ફરીથી જીગ્નેશ મેવાણી પોતાના સમર્થકો સાથે મામલતદાર કચેરી આવી પહોંચ્યો હતો અને પોતાનું અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જીગ્નેશ મેવાણીએ જણાયું હતું કે તમામ સમાજની માંગણી હતી કે તેઓ એસેમ્બલીમાં જાય અને લોકોના પ્રશ્નોના વાચા આપે જ્યારે તેમની ચૂંટણી લાડવાથી માત્ર ભાજપ ને નુકશાન થશે તેમ પણ જણાવ્યું હતું.અને પોતે અનેક પક્ષોને નિવેદન કર્યું હતું એટલે કોંગ્રેસ સહિત કોઈ બીજા પક્ષોએ પોતાનો ઉમેદવાર વડગામમાં મુક્યો નથી અને મને સમર્થન કર્યું છે જેથી મારી ભવ્ય જીત થશે.
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે 'મેં આજે વડગામથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે મને અરવિંદ કેજરીવાલ અને બીજા નેતાઓ તરફ થી શુભેચ્છાઓ આપવામાં આવી છે મારા નિવેદન ના કારણે કોઈ બીજા પક્ષે અહીં તેમના ઉમેદવાર રાખ્યા નથી અહીં ની જનતા મારી સાથે છે ભાજપ ને અમે હરાવીશું'