કચ્છઃ ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે સભા સંબોધી હતી. તેમણે કહ્યું કે હિંદુએ કાર્ડ નથી પણ હિંદુ સંસ્કૃતિ છે. BJP જાતિવાદ અને પરિવારવાદથી પર છે. UPના CM યોગી આદિત્યનાથના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે.
તેઓ આજે કચ્છમાં ગૌરવયાત્રામાં સામેલ થશે. અને કચ્છમાં સભાઓ સંબોધશે. આજે રાત્રે 10 કલાકે તેઓ ગુજરાતથી ઉત્તરપ્રદેશ પરત જવા રવાના થશે. ભાજપે ગૌરવયાત્રાને પ્રતિસાદ મળે તે માટે પ્રચારમાં દિગ્ગજોની ફોજ ઉતારી છે. જેના ભાગ રૂપે યોગી આદિત્યનાથ ગુજરાતમાં આવી પહોંચ્યા છે.