મુંબઇ: ટચસ્ક્રીન ફોન વગર આજે જિંદગીની કલ્પના કરવી અશક્ય છે. દરેક લોકોના ખબર છે કે શારીરિક અને માનસિક રીતે એનું કેટલું જોખમ છે તેમ છતાં હાથમાંથી ફોન છૂટતો નથી.
વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં ટચસ્ક્રીન સ્માર્ટફોનના નવા જોખમ સામે આવ્યા છે. યુવાઓ પર વધારે અસર થઇ રહી છે કારણ કે એ લોકા આ ટેકનીકનો વધારે ઉપયોગ કરે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શારીરિક શ્રમ ખૂબ જ ઓછો થઇ જાય છે. દિવસભર માત્ર હાથ અને આંગળીઓ સૌથી વધારે ચાલે છે બાકી શરીર સ્થિર રહે છે.
- ઓ ફોનના કારણે યુવાઓમાં મેદસ્વિત ખૂબ જ ઝડપથી વધી રહી છે અને એમનો અહેસાસ પણ થતો નથી. આવી જ રીતે બાળકોમાં પણ ફોનમાંથી નિકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન બાળકોને સંવેદનશીલ મગજને ભારે નુકસાન પહોંચાડે છે.
- બાળકોનો માનસિક અને શારીરિક ગ્રોથ અટકી જાય છે આ ઉપરાંત ઓછા સામાજિક થતાં જાય છે.
- રીયલ જીંદગીમાં મિત્ર બનાવવાની જગ્યાએ વર્ચુઅલ વર્લ્ડમાં મિત્ર શોધે છે. ટતસ્ક્રીન યૂઝ કરનાર વ્યક્તિ પોતાની જાતને અંસુતુષ્ટ નજરે પડે છે.
- ટચસ્ક્રીન ફોનની સૌથી નકારાત્મક અસર એ છે લકે યૂઝર ઇચ્છે તો પણ એની ટેવ છોડી શકતો નથી. આ ઉપરાંત બાળકોની આંખો પણ ખૂબ જ ખરાબ થાય છે.