સોશ્યલ મીડિયા પર જે સમાચાર લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે તે વાયરલ થઇ જાય છે. એક એવા જ સમાચાર હાલમાં વાયરલ થઇ રહ્યા છે જે તમે ચોંકાવી દેશે. વાયરલ થયેલા આ સમાચારમાં જણાવવામાં આવ્યુ છે કે મુકેશ અંબાણીના ઘરના કચરો કઇ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. હાલમાં યૂટ્યૂબ અને ફેસબુક પર તમામ જગ્યાએ આ વાતની ચર્ચા ચાલી રહી છે. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા જેમાં મુકેશ અંબાણીના ડ્રાઇવરની સેલરીનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ વખતે મુકેશ અંબાણીના ઘર એન્ટિલાની એક વાત વાયરલ થઇ રહી છેજેમાં તેમના ઘરમાં કચરાની વાત કરવામાં આવી છે.
કચરામાંથી બને છે ઘરમાં વિજળી:
મુકેશ અંબાણીના ઘરની ગણતરી દેશના સૌથી સારા ઘરોમાં થાય છે. 27 માળના આ ઘરમાં 600 નોકર રહે છે જે ઘરની દેખરેખ રાખે છે. ઘરની તમામ નાનામાં નાની ચીજવસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. તમામ ચીજવસ્તુઓને સિસ્ટમેટિક બનાવવાની જવાબદારી નોકરોના હાથમાં હોય છે. સોશ્યલ મીડિયા પર તેમના ઘરના કચરાની વાત થઇ રહી છે. કહેવાઇ રહ્યુ છે કે તેમના ઘરના કચરાનો કોઇ વસ્તુ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. સાંભળીને તમને આશ્ચર્ય થશે ક તેમના ઘરના કચરામાંથી વિજળી બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘરમાં જ કરવામાં આવે છે.
કેવી રીતે બને છે વિજળી:
તમને જણાવી દઇએ કેમુકેશ અંબાણીના ઘરના કચરાને ફેંકવામાં આવતો નથીપરંતુ તેનો ઉપયોગ વિજળી બનાવવા માટે થાય છે. કહેવાઇ રહ્યુ છે કે ઘરમાં કોઇ ખાસ સિસ્ટમની મદદથી વિજળી બનાવવામાં આવે છે. આ પહેલા સુકા અને ભીના કચરાને અલગ કરવામાં આવે છેત્યારબાદ તેમાંથી વિજળી બનાવવામાં આવે છે. આટલા મોટા ઘરમાં સૌથી વધારે ઉપયોગ વિજળીનો થાય છે.
મુકેશ અંબાણીના ઘરની ખાસ વાતો:
આ ઘરમાં 168 કાર રહી શકે તેટલી જગ્યા છે.
ટેરેસ પર 3 હેલીપેડ છે
ઘરમાં સ્વીમિંગ પૂલ અને સ્પા રૂમ પણ છે.
ઘરમાં કોઇ ઘરમાં એસીની જરૂર નથીઆખા ઘરમાં તાપમાન જાતે નક્કી કરી શકો છો.