ભારતીય સેના આજે આર્મી દિવસની ઉજવણી કરી રહી છે. ત્યારે સેનાનું જમ્મૂ-કાશ્મીરમાં આંતકીઓને સફાયો કરવાનું ઓપરેશન સતત ચાલુ છે. આર્મી દિવસ પર LOC પર આ સૌથી મોટી કાર્યવાહી છે. આ પહેલા ઉરી સેક્ટરમાં ઘુસણખોરી કરી રહેલા 6 આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પછી LOCના કોટલીમાં જવાબી કાર્યવાહી દરમિાયન 7 પાકિસ્તાની સેનાના જવાનોને ઠાર કરવામાં આવ્યા છે.
આ ઓપરેશનને ભારતીય સેના અને જમ્મૂ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે ચલાવ્યુ હતુ. જમ્મૂ-કાશ્મીરના પોલીસના DGPએ સઆજે સવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. માર્યા ગયા 6 આંતકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના બતાવવામાં આવી રહ્યા છે. આ 6 આંતકવાદીઓ સિવાય LOCના કોટલીમાં પાકિસ્તાનની તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં 7 પાકિસ્તાનના જવાને ઠાર કર્યા છે.
સેનાના પ્રમુખે આપી હતી ચેતવણી:
તમને જણાવી દઇએ કે નવી દિલ્હીમાં આર્મી દિવસના પરેડ દરમિયાનના સેના પ્રમુખ બિપિન રાવતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ કે પાકિસ્તાનની સેના ઘુસણખોરોની મદદ કરે છે. જો અમને મજબૂર કરવામાં આવ્યા તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનની તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે.
તમને જણાવી દઇએ કે પાકિસ્તાનની તરફથી વારંવાર ઉરી સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગત શુક્રવારે અહીંયા પાકિસ્તાની સેનાનએ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ જે પછી ભારતીય સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ પહેલા પણ ગત જૂનમાં પણ પાકિસ્તાનના ઉરી સેક્ટરમાં 48 કલાકમાં 2 વખત ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતીય સેનાએ તમામ ઘૂસણખોરીના પ્રયત્નનો નિષ્ફળ કરી દીધા છે.