સુરતઃ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યાનાથ ગુજરાત પહોંચ્યા છે. ત્યારે તેઓ ગૌરવયાત્રામાં જોડાયા હતા. યોગી વલસાડ-નવસારી તેજમ 25થી 30 જાહેર સભા સંબોધશે.
ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. યાત્રાઓ અને લોકાર્પણો દ્વારા ભાજપ સરકાર જનતા સુધી પહોંચવા મથી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત એ માત્ર ભાજપ માટે જ નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદી માટે પણ જાણે વટનો સવાલ બની ગઈ છે. તેવામાં કેન્દ્રની ભાજપ સરકાર તરફથી નિર્દેશ મુજબ ભાજપના પ્રથમ હરોળના નેતાઓને ગુજરાતમાં જનસભાઓ ગજવવા માટે અને લોકોને ભાજપાભિમુખ બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
જેના પગલે અન્ય ભાજપા દિગ્ગજની જેમ ઉત્રર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે ગુજરાત ગૌરવયાત્રામાં હાજરી આપવાના બહાને ચૂંટણીનો ભગવો માહોલ ખડો કરવા આવ્યા છે. તેઓ બે દિવસ ગુજરાતમાં રહીને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં જાહેરસભાઓ ગજવીને ભાજપને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરશે.